________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તાના પૂર્ણ પુરૂષાર્થ બળે સામાજીક, ધાર્મિક, નૈતિક, આધ્યાત્મિક પ્રવૃત્તિ સેવન કરીને તેમાં પોતાની ઉન્નત દશાની સિદ્ધિ પ્રાપ્ત કરવી જ જોઈએ, ને આમ પિતાની ફરજના પ્રમાણમાં જે પ્રવૃત્તિ યા તે કર્મયોગ સાધતિ નથી તે માનવ નથી-જીવવા યોગ્ય નથી;-વિશ્વમાં ક્રમાં ક્ષુદ્ર કીટક જંતુથી પણ શુદ્ધ છે. આ બાબત ગુરૂમહારાજે પિતાના “કાગ ગ્રંથમાં અતિશય સુન્દર ને બોધપ્રદ શૈલીમાં આર્યાવર્તનાં તેમજ પાશ્ચાત્ય દેશનાં અનેક સામાજીક તેમજ ધાર્મિક દ્રષ્ટાન્ત આપી સિદ્ધ કરી બતાવી છે. આચાર્ય મહારાજની વિશ્વવિ
ખ્યાત સંસ્કારી લેખિનીથી, ભારતવર્ષ હવે અજ્ઞાત નથી. લે. મા. તિલક, રવામિ વિવેકાનંદ, શ્રીમાન ભણલાલ નભુભાઈ આદિ સમર્થ લેખકોનાં આ બાબતપર પુષ્કળ ચર્ચાત્મક વિવેચને ગુજૅરાષ્ટ્ર સમક્ષ મેજુદ છે. છતાં આ કર્મ કંઈ ઓર જ પ્રભા અને અવનવાં દર્શન કરાવે છે. કર્મગ વિવેચનના પદે પદે ઉભરાતું હેમનું તત્વજ્ઞાનનું, ભાષા, ભાવ અને વેગ સંબંધી વિશાળ જ્ઞાન વાંચકને મુગ્ધ કરી પિતાની સાથે દોરી જાય છે, અને પ્રતીત કરાવે છે. લે. મા. તિલક અગર તે અન્યના આ બાબતના ગ્રંથ કરતાં આ કર્મચાગ ધણું સુદર વાનીઓ તવરસિક વાંચકને પીરસી આર આમાનંદની ખુમારી અનુભવાવે છે. “કમૅગ જે ગહન વિષય, તેમાં પણ આધ્યાત્મિક ભાવનાના રસનપુટ પુરી હેને છણું ઉત્કૃષ્ટ રીતે લખવામાં ગુર્જરાષ્ટ્રના એક ઉત્તમ સાહિત્ય તત્વજ્ઞાનના, ગીર્વાણ ભાષાના પંડિત આચાર્યની કુશળ પછી જ્યાં ચિત્ર આલેખવા બેસે ત્યાં શું બાકી રહે? આ કર્મયોગમાં વિશેષ નવલ તે એ જ છે કે જ્યારે લે. મા. તિલક તેમજ અએ ભગવદ્ગીતાના કે લઈ તે પર બુદ્ધિ અનુસાર વિવેચને લખ્યાં છે, ત્યારે શ્રીમદ્ બુદ્ધિસાગરજી મહારાજે કર્મયોગ” ને સ્વતંત્ર કોની રચના કરી, તે પર વિવેચન લખ્યું છે. આમાંની વસ્તુ એકંદર શ્રીમદ્ભા ઉકષ્ટ હૃદય મંથનનું માખણ, સારનું સાર છે ને તેથી જ તે વધુ આદરપાત્ર થશેજ. લેકને તે વધુ પ્રતીતિવાળું ને આદરપાત્ર થવાનું અન્ય સબળ કારણ ગુરૂમહારાજનું સાત્વિક, ત્યાગી, કમૅગી જીવન છે.
આત્મિક પ્રવૃત્તિને-સતત સદુઘમને આસ્વકાર કરતાં કેટલાક પ્રવૃત્તિ પ્રત્યે ઉદાસીનતા બતાવે છે, પણ કર્મયોગ તે તેને માટે સ્પષ્ટ કર્થ છે કે – સ્વાધિકારે વિવેકપૂર્વક કર્તવ્યમાં પ્રવર્તતાં, સર્વ સ્વાર્પણ કરવામાં ભીતિને એક વિકલ્પ પણ ન થાય, એ નિર્ભય આત્મા જ્યારે થાય છે, ત્યારે આત્મામાં સ્થિરતા થાય છે, તે અસ્થિરતા ટળી જતાં સદ્દવર્તનના શિખરે આત્મા બિરાજમાન થાય છે. આમ આત્મામાંથી શુભાશુભ પરિણામ ટળી
For Private And Personal Use Only