________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦૯, વનમાં કાર્યોત્સર્ગ ધ્યાને રહ્યા, તેમના દેહે વલ્લિ વીંટાણી અને કાનમાં ચકલીઓએ માળા ઘાલ્યા; આવી તેમની સ્થિતિ છતાં તેમને કેવલ જ્ઞાન થયું નહિ. શ્રી ઋષભદેવ ભગવંતે બ્રાહ્મી અને સુંદરીને શિખામણ આપવા માટે બાહુબલી પાસે મેકલ્યાં. બાહુબલી પાસે ગમન કરી બેન કહેવા લાગ્યાં કે ઘr tr Tગળ કત, જગ વેવ ન ો, વા મા II ઈત્યાદિ આવાં વચને શ્રી બાહુબલીના કર્ણમાં અથડાઈને બાહુબલીના હૃદયમાં ઉતરી ગયાં. બાહુબલી વિચારવા લાગ્યા કે બેન મને કથે છે કે ભાઈ, હસ્તીથી હેઠા ઊત. ગજપર ચઢવાથી કેવલ જ્ઞાન ન થાય. શું હું હાથીપર ચઢ છું. ના હું હાથીપર ચઢ નથી. હાથી ઘોડા અને રાજ્યપાટને તે ત્યાગ કરીને હું વનમાં ધ્યાન કરું છું. હું ગજપર ચઢ નથી તે પછી ઉતરવાનું તે ક્યાંથી હોય? એવામાં પુનઃ બેનને મધુર સ્વર કાનમાં અથડા કે વા માં
થી ૩ર વહે વર્લ્ડ ન હોય, વ મ અરે હું હસ્તીપર ચઢેલે નથી અને બેન, કેમ મને હાથીપરથી હેઠળ ઉતરવાનું કહે છે અને ગજપર ચઢતાં કેવલજ્ઞાન ન થાય એમ કેમ કહે છે? બાહુબલીએ મનમાં વિચાર કર્યો કે બેન અસત્ય તે બોલે નહિ. બેન કહે છે તે ખરૂં કથે છે, પણ હું તેને ભાવ જાણી શકતો નથી. આ પ્રમાણે વિચાર કરતાં બાહુબલીએ ઉપગ દીધો ત્યારે ભાન આવ્યું કે ખરેખર હું અભિમાન રૂપ હસ્તીપર ચઢેલે છું. મારા લઘુ બાંધવે પ્રથમ દીક્ષા લીધાથી શ્રી ઋષભદેવ પ્રભુ પાસે જતાં તેઓને વંદન કરવું પડે. હું તેમને કેમ વાંદુ? જ્યારે કેવલજ્ઞાન થશે ત્યારે સમવસરણમાં પ્રવેશ કરીશું કે જેથી લઘુ બાંધવોને વાંદવા ન પડે. આ અહંકાર ધારણ કરીને હું વનમાં ધ્યાન કરૂં છું પણ કેવલજ્ઞાન થતું નથી. બેન કહે છે કે અહંકારરૂપ હસ્તીપર ચઢતાં કેવલજ્ઞાન ન થાય તે ખરેખર સત્ય છે, એમ ઉપગ દઈને તેમણે સમવસરણમાં લઘુ બાંધવોને વંદનનિમિત્ત અને પ્રભુદર્શન નિમિત્તે એક પાદ ઉપાડ કે તુર્ત તેમને કેવલ જ્ઞાન થયું. જ્યારે બાહુબલીને ઉપયોગ આવ્યું ત્યારે તેમણે સ્વભૂલ દેખી અને તેને ટાળી એટલે તુર્ત તેમને કેવલજ્ઞાન થયું. આ ઉપરથી એટલો સાર લેવાનો છે કે પ્રત્યેક કાર્યમાં ઉપયોગથી પ્રવર્તવું કે જેથી
પર
For Private And Personal Use Only