SearchBrowseAboutContactDonate
Page Preview
Page 439
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૭૮ ધંધાને સ્વજનકુટુંબ પિષણાદિ માટે કરતાં અર્થદષ્ટિએ ગૃહસ્થને તે તે પ્રવૃત્તિમાં અનર્થદંડરૂપ દોષ નહિ હોવાથી નિર્દોષત્વ છે અને અર્થ દષ્ટિએ આરંભ કરતાં જે જે પાપ લાગે છે તે તે અપેક્ષાએ સદષત્વ છે પરંતુ ઉપર્યુક્ત અપેક્ષાયુક્ત એવું ગૃહસ્થાવાસમાં દેશ, કાલ, કુલ, જાતિ, ધંધા વગેરેવડે પ્રાપ્યસ્વાધિકાર પ્રમાણે સદોષ વા નિર્દોષકાર્ય કરવું જોઈએ એવી ગૃહાવાસની અધિકાર સ્થિતિ છે. જે ગૃહસ્થાવાસની ઉપર્યુક્ત સ્વાધિકારકર્તવ્યપ્રવૃત્તિથી સંસારમાં પ્રવૃત્ત ન થવામાં આવે તો અનેક પ્રકારના દુર્ગાનને વશ થવું પડે છે અને સ્વાધિકારથી ભ્રષ્ટ થવું પડે છે. ઉપર્યુક્ત અપેક્ષાએ દેશ, કાલ, જાતિ, કુલ, વય ધંધે વગેરેથી જે જે કર્તવ્ય કાર્યના અધિકાર પ્રમાણે પિતાને જે જે કાર્ય કરવું પડે છે તેમાં સંકલ્પ હિંસાના અભાવે ફક્ત આરંભ હિંસાના દેષને સેવ પડે છે. કર્તવ્ય કાર્યોમાં હિંસારૂપ દોષવડે સદષત્વ પ્રાપ્ત થાય છે. હિંસા માટે જૈનગ્રન્થમાં નીચે પ્રમાણે સૂત્ર છે. પ્રમત્તજાર બronuf fણા કષાયરૂપ પ્રમાદગથી અન્યજીના પ્રાણને નાશ કરે તે હિંસા છે પરંતુ માત્ર પ્રાણીના પ્રાણને નાશ કરે એનું નામ હિંસા નથી. તેરમાં ગુણસ્થાનકમાં સર્વપ્રભુના શરીરથી પણ સ્થાવસ્ત્રસજીવની હિંસા થાય છે તેથી પ્રાણવ્યપરપણને હિંસા કહેવામાં આવે તે એવા પ્રકારની હિંસા તે કેવલીને પણ લાગે છે. તેઓ પણ પ્રાણવ્યપરપણરૂપ હિંસાથી વિરમી શકે નહિ, તે અન્ય મનુષ્યનું તે શું કહેવું? અએવ શ્રી તીર્થકરેએ વ્યવહાર નયને અનુસરી vમાથાત્ પ્રાથvi હિંસા એમ કથી હિંસાનું લક્ષણ બાંધ્યું. અપ્રમત્તયેગે વર્તતાં ગૃહસ્થ મનુષ્ય કોઈના પ્રાણને કાર્યારંભાદિવડે નાશ કરે છે તે હિંસા કહેવાય નહિ, કારણ કે તેમાં કોઈ જીવને કષાયવશ થઈને મારવાની બુદ્ધિ નથી. કે ઈજજ કેઈને કાયદાનુસાર ફાંસીની શિક્ષા ફરમાવે વા કેઈ રાજા નૈતિક ધર્મયુદ્ધ કરે છે તેમાં વ્યવહારથી હિંસા ગણાય નહિ. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર સ્વવાધિકારપ્રમાણે અપ્રમત્ત ગે સ્વસ્વકાર્ય પ્રવૃત્તિ કરે તે તેમાં અન્યજીના ઉપર કષાયબુદ્ધિ નહિ હોવાથી અહિંસક છે અને એવી અહિંસક દષ્ટિએ સરકારી કાયદાઓ For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy