SearchBrowseAboutContactDonate
Page Preview
Page 437
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૭૪ ષતા છે? તેના ઉત્તરમાં કથવાનુ કે અનેક દૃષ્ટિબિંદુઓની પ્રવૃત્તિ સદોષ હોય વા નિર્દોષ હોય તેપણ તે કાર્ય શ્રીઋષભદેવ ભગવાનને સ્વાધિકારે પ્રાપ્ત હતું. અતએવ તેમણે નિર્લેપષ્ટિથી સેવ્યુ. સ્વાધિકારે બાહુબલીની સાથે કર્તવ્ય યુદ્ધ કરવાની પ્રવૃત્તિને શ્રીભરતરાજાએ સેવી. નીતિટ્ટષ્ટિએ : સ્વાધિકાર પ્રાપ્ત કર્તવ્ય ક્રૂરજને ભરતચક્રવર્તિએ યુદ્ધ કરી અદા કરી હતી. તેમાં ત્યાગધર્મદ્રષ્ટિએ વ્યવહારતઃ સદોષત્વ છે, છતાં ભરતરાજાએ આર વર્ષ પર્યન્ત યુદ્ધ કર્યું હતું. શ્રીશાન્તિનાથ, કુંથુનાથ અને અરનાથ એ ત્રણને તીર્થંકરની તથા ચક્રવર્તિની પદવી એકભવમાં હતી. ગૃહસ્થાવાસાધિકારે તેઓએ ષટ્યૂડ સાધવાની પ્રવૃત્તિ સેવી હતી. એકેકને ચાસઠહજાર સ્ત્રીઓ હતી. ગૃહસ્થાવાસમાં સ્વાધિકારે એ ત્રણ તીર્થંકરોએ અમુક હૃષ્ટિએ સદોષ અને અમુક દૃષ્ટિએ નિર્દોષ કર્તવ્યકાર્યો કર્યા હતાં. શ્રીનેમિનાથ ભગવંતે ગૃહાવાસની સ્થિતિમાં જરાસંધના યુદ્ધમાં ભાગ લેઈ યાદવાનું રક્ષણ કર્યું હતું. તેમજ ગૃહાવાસમાં સ્વાધિકારે કર્તવ્યકાર્ય કયા હતાં. શ્રીમહાવીર પ્રભુના મામા વિશાલાનગરીના રાજા ચેડામહારાજે પાતાના ભાણેજો શરણે આવ્યા હતા, તે ક્ષત્રિયના ધર્મ પ્રમાણે કાણિકરાજાને પાછા નહિ આપવાને માટે કાણિકરાજાની સાથે બાર વર્ષ સુધી યુદ્ધ કર્યું હતું અને તેમાં લાખા મનુષ્યાના સંહાર અને સ્વનાશના પ્રસંગ પ્રાપ્ત થયા છતાં કર્તવ્યયુદ્ધના ત્યાગ કર્યાં નહાતા; તેથી તેઓ ક્ષત્રિયભૂપતિ તરીકે ખારવ્રતધારી થઈ વિશ્વમાં આજ પણ અક્ષરદેહે અમર થયા છે. સ્વાધિકારે કર્તવ્યકાર્ય ઉત્સર્ગમાર્ગે નિર્દોષ હોય અને અપવાદમાર્ગે સદોષ હોય, વ્યવહારથી નિર્દોષ ગણાતું હોય અને નિશ્ચયથી સદોષ હોય, નિશ્ચ યથી અપ્રમત્તયેાગે નિર્દોષ હોય અને વ્યવહારે સદોષ હોય, નૈતિકદૃષ્ટિએ નિર્દોષ હોય અને પ્રાણઘાતકષ્ટિએ સદોષ હોય, અનુબંધષ્ટિએ નિર્દોષ હોય અને સ્વરૂપઢષ્ટિએ સદોષ હોય, તથાપિ તે કરવાં પડે છે; તે કર્યાવિના છૂટકો થતા નથી. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્રજાતિને સ્વસ્વાધિકારે કર્તાષ્યકાર્ચીને આજીવિકાદિ હેતુએ સસારનાં અને ધમહેતુએ ધાર્મિકકાર્યને કરવાં પડે છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શત્રુને સ્વાધિકાર પ્રમાણે રાજકીયષ્ટિએ, ધર્મદ્રષ્ટિએ, સ્વા For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy