SearchBrowseAboutContactDonate
Page Preview
Page 430
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૬૯ નથી કર્યું એમ અન્તમાં માને છે. પ્રાપ્તાધિકાર યોગે પ્રાપ્ત કર્તવ્ય કાર્યોમાં જ્ઞાનીઓ નિરહંવૃત્તિથી વર્તે છે એ તેમની સામાન્ય ઉચ્ચત નથીપરંતુ વિશેષ પ્રકારે ઉચ્ચતા છે. પ્રાસકાર્યોમાં હું ને હારૂં એવી દશાથી મુક્ત થઈને વ્યવહાધિકારને જેઓ બજાવે છે એવા કર્મ ગીઓ આ વિશ્વમાં વિરલા હોય છે. તેઓ સર્વ કાર્યો કરતા છતા પણ અન્ત અકર્તા છે તેમજ તેઓ સર્વ કાર્યો કરતા છતા પણ અકિય છે. તેઓ ભોક્તા છતાં અભેગી છે તેઓ વક્તા છતાં અવક્તા છે તેઓ સર્વ બાહ્ય સંબંધમાં વ્યવહારથી છતાં નિશ્ચયથી નિલેંપ છે એમ અવધવું. કોઈપણ કાર્ય મેં કર્યું એ અન્તમાં અધ્યાસ પ્રગટતાં તેનું કર્તાપણું પિતાનામાં આપાય છે અને તેથી અહંવૃત્તિ પ્રકટતાં અન્તથી બાહ્ય વસ્તુઓની સાથે સંબંધ છતાં અન્તથી અપ્રતિબદ્ધત્વ ન રહેતાં રાગદ્વેષની વૃત્તિના દાસ થવું પડે છે. આ વિશ્વમાં ખરે જ્ઞાન ખેલ તે એ છે કે પ્રાપ્ત કર્તવ્યકર્મોમાં પ્રવૃત્તિયુક્ત થયા છતાં તેમાં કર્તા ભક્તાપણું અન્તરથી ન માનવું. પંચેન્દ્રિયની પ્રવૃત્તિમાં અન્તરથી નિરહંવૃત્તિત્વ ધારીને વર્તવું એ કંઈ સામાન્ય વાત નથી. આત્માની સાક્ષીએ દરરેજ થતી કર્તવ્ય કર્મપ્રવૃત્તિમાં હું કર્તા છું એ ભાવ ન આવે ત્યારે અવધવું કે નિરહંવૃત્તિથી કર્તવ્ય કર્મપ્રવૃત્તિ થયા કરે છે. કઈ પણ કાર્ય કરતાં તેની અસિદ્ધિ થતાં શેક પ્રકટે ત્યાં સુધી વા કાર્ય સિદ્ધિ પ્રકટે ત્યાંસુધી તે તે કાર્યોની સાથે કતૃત્વાહંવૃત્તિને સંબંધ છે એમ અવબેધવું. નિરહંવૃત્તિથી કાર્યપ્રવૃત્તિ થતાં તે ફરજોની દષ્ટિએ અનેક પ્રસંગોના અનુસારે થાય છે એમ અવબોધવું અને તેમાં કર્તાવાભિમાન ન હોવાથી કદિ સલેપ થવાતું નથી એમ અવધવું. નિરહવૃત્તિથી આવશ્યક ધમ્યકર્તવ્ય કરવાથી આત્મા પોતાના મૂલ ધર્મમાં રમણતા કરી શકે છે અને તે બાહને અન્તના ભાવવડે કર્તાહર્તા બની શકતું નથી. આ ઉપર એક લૈકિક વેદાન્તીઓની કિવદન્તી છે કે એક વખત કૃષ્ણની રાણી નદીની પેલી પાર રહેલા એક તપસ્વીને ભોજન કરાવવા માટે જવાની હતી, પરંતુ નદીમાં પાણીનું પૂર જોરથી વહેતું હતું, તેથી નદીને ઉતરી પેલી પાર જવાની For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy