SearchBrowseAboutContactDonate
Page Preview
Page 406
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૪૫ તે માટે ધર્માનુષ્ઠાનવડે અર્થાત્ ધર્મપ્રવૃત્તિએ તત્વજ્ઞાનીએ ધર્મ બંધ આપનારા બને છે. આ વિશ્વ સર્વ પ્રકારના વ્યવહારમાં નિર્લેપ રહે એવી આત્મજ્ઞાનીઓની આન્તરિક ભાવના હોય છે અને તેથી તેઓ વિશ્વમાં ધર્મ પ્રવર્તાવવા પ્રયત્ન કરે છે. વિશ્વધર્મ પ્રવર્તક બનવું એ એવી આન્તરિકનિર્લેપવ્યવહારપ્રવૃત્તિની ભાવના વિના બની શકે તેમ નથી. શ્રી તીર્થંકર મહારાજાઓ પૂર્વભવમાં વિકાસના એવી ભાવનાથી આત્માને સંપૂર્ણ ભરી દે છે તેથી તેઓ વિશ્વ ધર્મ પ્રવર્તકાદિમહાવિશેષણ વડે સંધાય છે. જેના હૃદયમાં આધ્યાત્મિક ઉચ્ચભાવનાઓ વિકસતી નથી તે સ્થૂલવિશ્વમાં મહાપરોપકારી કૃત્યે કરવાને અને કરાવવાને શક્તિમાનું બનતું નથી. તત્ત્વવેદિયે ધર્માનુછાનવડે નિર્લેપવ્યવહારને માટે અર્થાત્ નિર્લેપવ્યવહારની પ્રાપ્તિ માટે વર્તે છે, અને વર્તાવે છે અને નિર્લેપવ્યવહારથી વર્તનારાઓની અનુમદના કરે છે તેથી તેઓ આન્તરિકશુદ્ધભાવનાઓવડે પ્રતિક્ષણ ઉચ્ચ થયા કરે છે અને તેઓ બાહ્ય વિધવતિજનોને પણ નિર્લેપ વ્યવહારી બનાવી ઉચ્ચ બનાવે છે. જળમાં કમળ રહ્યા છતાં જળથી નિર્લેપવ્યવહાર રાખે છે તદ્વત્ આ વિશ્વમાં સર્વ પ્રકારના આવશ્યક વ્યવહારોને આચરતાં છતાં નિર્લેપ રહેવું જોઈએ કે જેથી આમોજતિની સાથે વિન્નતિ કરવા માટે વિશ્વમાં સર્વત્ર ધર્મ પ્રવર્તાવવાનું બની શકે. જે મનુષ્ય વ્યવહારમાં રાગદ્વેષના લેપથી લેવાય છે તે મન, વચન અને કાયાની અનેક શુભ શક્તિોને દુર્વ્યય કરી શકે છે. ધાદિક કષાને શમાવવાનું બળ પ્રાપ્ત કરવાથી અનેક પ્રકારના લૈકિક તથા લેકેત્તર વ્યવહારમાં નિર્લેપતા ધારી શકાય છે અને તેથી રાગી અને દ્વેષી મનુષ્યના વચ્ચમાં રહી કર્તવ્યકર્મો કરી શકાય છે અનન્તાનુબંધિકોધ, માન, માયા, લોભ. અપ્રત્યાખ્યાની ક્રોધ, માન, માયા, લેભ. પ્રત્યાખ્યાની કોશ, માન, માયા, લેભ અને સંજવલનના bોધ, માન, માયા અને લેભ એ સેળ પ્રકારના કષાએ અવધવા. મિથ્યાત્વ દશાવાળાને સેળ કષાય હોય છે. અવિરતિસમ્યગ્દષ્ટિ ગૃહસ્થને અનન્તાનુબંધી કષાયને ઉપશમાદિ ભાવ હોય છે તેથી તે અનન્તાનુબંધી કષાયના અભાવની અપેક્ષાએ નિર્લેપ રહી કર્તવ્ય કર્મ ૪૪ For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy