SearchBrowseAboutContactDonate
Page Preview
Page 398
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૭૭ કરે છે. પોતાનું પરમાત્મસ્વરૂપ પ્રાપ્ત કરવું એ ખરેખર આત્મજ્ઞાન વિના બની શકે તેમ નથી. આત્મજ્ઞાનવિન નામરૂપમાં બંધાયેલી અહંવૃત્તિ ટળતી નથી. નામરૂપના ગે રાગ, દ્વેષ, કામ, માયા, ઈર્ષ્યા, પ્રપંચ, ભય, લજજા, લેભ અને વિશ્વાસઘાત આદિ અનેક પ્રકારની મહવૃત્તિ ઉદ્વવે છે. ઉત્પન્ન થનાર વૃત્તિનું મુખ્ય કારણ અજ્ઞાન છે. આત્માનું જ્ઞાન પ્રાપ્ત થતાં અજ્ઞાન સ્વયમેવ ટળે છે અને તે વખતે આત્મામાં આત્મસુખને વિશ્વાસ પ્રકટવાથી નામરૂપમાં સુખના વિશ્વાસે થતી અહંવૃત્તિને પાયે સર્વથા નષ્ટ થઈ જાય છે તથા નામરૂપથી ભિન્ન એવા આત્મામાં મુખ્યતાએ ઉપયોગ વહે છે તેથી તેનું પરિણામ એ આવે છે કે ઉપગરૂપ મહાદેવની શક્તિ વડે કલ્પના જાલ છેદાય છે અને આત્માની સ્વસ્વરૂપમાં લીનતા થાય છે. સંપૂર્ણ કલેશથી મુક્ત એવું આત્માનું સ્વરૂપ છે. ભયબ્રેષાદિ કલેશેને જ્યાં ઉદય વેદાય છે ત્યાં આત્માનું સ્વરૂપ દાતું નથી. જે વખતે કલેશ વાસિત આત્મા વર્તે છે તે સમયે આત્મા પિતાના આત્મસ્વરૂપમાં નથી પણ પરભાવમાં વર્તે છે એમ અવધવું. જે કલેશાદિથી મુક્ત એવું સ્વરૂપ વિદાય છે તે જ આત્મસ્વરૂપ છે. જેને ભયબ્રેષાદિ કલેશેને ઉદય છે તે સ્વકીય શુદ્ધાત્મસ્વરૂપથી બહિર રાગદ્વેષરૂપ સાગરના કલ્લોલમાં અથડાતે છે એમ અવબોધવું. જેઓ કલેશમાં જન્મ વ્યતીત કરે છે અને નિઃશેષ કલેશથી મુક્ત એવું આત્મસ્વરૂપ અનુભવતા નથી તેઓ આત્માનું કલેશમુક્ત શુદ્ધસ્વરૂપ પ્રાપ્ત કરી શકતા નથી. મૂર્તવસ્તુઓમાં કંઈ આત્મત્વ નથી અએવ અમૂર્ત એવું આત્માનું સ્વરૂપ સંલક્ષીને તેને અનુભવ ગ્રહવા ધ્યાનની દીર્ધકાળ પરંપરાપ્રવાહભાવને પગમાં સ્થિર રહેવું જોઈએ. ક્લેશમાં આત્માને જય વા વિજય નથી તેમજ ફ્લેશથી કદાપિ આત્માનું સ્વરૂપ અનુભવી શકાય નહિ એવું અવધીને નિષ્કષાય એવું આત્મસ્વરૂપ યથાગ્ય પ્રાપ્ત કરવું ચગ્ય છે તથા મૂર્તવસ્તુઓમાં આત્માને કંઈ પણ ધર્મ નથી એવું અવધીને મૂર્તવસ્તુઓની અહંતા દૂર ત્યજવી જોઈએ. મૂર્તવસ્તુઓ સંબંધી રાગદ્વેપના યાવત્ વિકલ્પ સંક૯૫ થયા કરે છે તાવતું અમૂર્ત એવું આત્મ સ્વરૂપ ખરેખર અનુભવ સાક્ષાત્કાર થતું નથી. મૂર્તવસ્તુઓથી ભિન્ન For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy