SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૭૬ 66 આત્મા તેજ (મારો પરમા ) પરમાત્મા છે એવા નિશ્ચય થયે એટલે ભ્રાંતિથી કલ્પાયેલું અહંમત્વ વિલય પામે છે. ભરત રાજાને આદશભુવનમાં પરવસ્તુ સંબંધી અદ્વૈતત્વ ટળ્યું તેની સાથેજ તેમણે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યુ. આત્માનું પરિણમન સર્વ શક્તિદ્વારા જો આત્મામાં થાય તો કાચી એ ઘડીમાં કેવલ જ્ઞાનની પ્રાપ્તિ થાય. કાઇની પાછળ કોઇ પડશે નહિ” એ કહેવત અક્ષરશઃ સત્ય તરીકે અનુભવાય છે. આત્માના સર્વ પર્યાયોને આવિર્ભાવ થવા એજ સિદ્ધત્વ વા પરમાત્મત્વ છે. ગમે તેવા પાપી પણ આવું પરમાત્મત્વ પ્રાપ્ત કરવા શક્તિમાનું થાય છે. ગમે તે રીતે ગમે તે ભાષાદ્વારા આત્માની પરમાત્મતા પ્રાપ્ત થાય એવું જ્ઞાન કરીને આત્મગુણામાં રમણતા કરવી જોઇએ. આત્માના ગુણાને પ્રગટાવવા માટે આત્માના ગુણા તરફ લક્ષ્ય દેવાની જરૂર છે. પરમાત્મપદ એ આત્મામાં છે. શારીરિક ધર્મો એ કઇ આત્મારૂપ પરમાત્માના ધર્મ નથી. આત્મારૂપ પરમાત્માના ગુણા શરીરથી ભિન્ન છે માટે શરીરની ચેષ્ટાથી આત્માનું પરમાત્મત્વ પરખાય નહિ. વાળમનમોચનચામાં-વિમૂતથા માળવાવ ટશ્યન્તે નાતત્ત્વ માત્ત નોંમ ્ાન્ ! આ ક્લાકદ્વારા પરમાત્માના ગુણાદ્વારા પરમાત્માનું મહત્વ જણાવવા આચાર્ય પ્રયત્ન કર્યાં છે. રાગદ્વેષની ક્ષીણતા થાય એ પણ શરીરની ચેષ્ટા-પ્રવૃત્તિદ્વારા જણાય એવા એકાન્ત નિયમથી પોતાની પરમાત્મતા પાતાનામાં કયા કયા અંગે પ્રગટ થઈ છે તેના પોતાને અનુભવ આવે છે. તે બાબતની અન્ય મનુષ્યદ્વારા પરીક્ષા કરાવવાથી પોતાને કોઇ રીતે લાભ પ્રાપ્ત થઈ શકતા નથી. આત્માની પરમાત્મતા સંબંધી ઝાંખી આપનારા ખરેખરા આધ્યાત્મિક ઉગારી છે એમ અવોધવું. પોતાનું આત્મસ્વરૂપ પોતાને જ્ઞાનદ્રાસ અનુભવાય છે. જ્ઞાન અને સુખ અર્થાત્ ચિદ અને આનંદ એ બેથી આત્મા અભિન્ન હોવાથી ચિદ્ અને આનંદનો અનુભવ આવતાં ચિદાનંદરૂપ આત્માનો અનુભવ આવ્યે એમ અવબોધવું, જેઆને આત્માનો અનુભવ આન્યા તેઓ કૃતકૃત્ય થયા એમ અવબેથવું. જીવન્મુક્તની વાનગી એ ખરેખર આત્માના અનુભવજ છે. આત્માના જ્ઞાનાનુભવ ઉતરાત્તર વધતા જાય છે. આત્માના અનુભવ For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy