SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૭૨ ખરેખરી તટસ્થતા પ્રગટે તે પ્રારબ્બાદિયેગે કર્મચગી છતાં સહજાનન્દની ઝાંખીને પૂર્ણનુભવ થાય અને ઉત્તરોત્તર દિવ્યજીવનને પ્રાદુર્ભાવ થાય. કડકાર્યોની વચ્ચમાં કર્મચાગે પ્રવૃત્તિયુક્ત છતાં તટસ્થ દષ્ટિથી સર્વ દેખવું અને જડપદાર્થોને અસત્ માનીને તેમાં થનારી અહેમમત્વવૃત્તિને દૂર કરી દેવી. જે કાલે જે આવશ્યક કાર્ય કરવાનું હોય છે તે કર્યા વિના છુટકે થતું નથી ત્યારે તે વખતે તટસ્થતા અને સાક્ષીપણું ધારણ કરી અનાસક્તિથી કાર્ય કરવાની ટેવ પાડવી જોઈએ. આત્મજ્ઞાની તટસ્થ દષ્ટિથી અનાસક્તિપૂર્વક જે જે કાર્યોને કરે છે તે તે કાર્યો અજ્ઞાની અહંવૃત્તિપૂર્વક કરે છે. આત્મજ્ઞાનીઓ અને અજ્ઞાનીઓનું શરીર અને બાહ્યાચેષ્ટાઓ તે કાર્યપરત્વે એક સરખી હોય છે પરંતુ તેમાં જે ફેરફાર હોય છે તે તે સમ્યગદષ્ટિ અને અસમ્યગ્રષ્ટિમાં અવધે. નિવિષાઢાયુક્ત અને વિષદાઢાયુક્ત સર્ષની બાદ્યકિયાતે એક સરખી હોય છે પણ જે બનેમાં ફેરફાર છે તે તે સવિષ અને નિવિષદાઢાઓની અપેક્ષા એ છે. અધ્યાત્મજ્ઞાનીઓ નિવિષાઢાયુક્ત સર્ષના જેવા હોય છે. તેઓની આત્મતા તેઓના સદ્દવિચારેજ છે. આત્મજ્ઞાનીએ બાહ્ય કર્મો કરતા છતાં પણ નિર્લેપ રહે છે તેનું ખરું કારણ પ્રત્યેક કર્મમાં તટસ્થતાભાવ અને સાક્ષીત્વ એજ છે. શ્રીકૃષ્ણને કર્મોમાં સાક્ષીત્વ હતું. જેનઢષ્ટિએ તે અન્તરામાં અને તેજ ભાવી પરમાત્મા છે. આત્મજ્ઞાન થયા વિના પ્રત્યેક કાર્યમાં તટસ્થતા રહી શકે નહિ. સર્વ પિગલિક પદાર્થોના સંબંધમાં છતાં તેઓના પાસમાં રહેવાપણું ન થવું એ તટસ્થતા વિના સંભવે નહીં. સર્વ સંબંધમાં તટસ્થભાવ આવ્યા વિના આ દુનિયામાં, વનમાં, ઘરમાં, પ્રવૃત્તિમાર્ગમાં, એકાંતમાં અને અન્ય ગમે તે કાર્ય કરતાં વા ન કરતાં પગલે પગલે દુઃખ છે. આત્મજ્ઞાનીને સાક્ષીત્વભાવ પ્રગટે છે તેથી તે દુઃખના હેતુઓને દુખપણે પરિણુમાવી શક્યું નથી અને પિતાના આત્મા ઉપર દુઃખની અસર ન થાય એવું આત્મબળ ફેરવીને આત્માના આનંદનો અનુભવ કરે છે. દુઃખ પરિણુમને પોતાના આત્મામાં ન પ્રગટાવવા દે એ આત્મસાક્ષીભાવ અને તટસ્થભાવ ઉપર આધાર રાખે છે. માટે For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy