SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૫૫ તેથી જે પિતાનું સંરક્ષણ કરવું હોય તે આત્માને અધ્યાત્મજ્ઞાન વડે પરિમાવો જોઈએ. સર્વ પ્રકારનાં અધિકારસંપ્રાપ્તઆવશ્યકકાર્યો કરતાં છતાં નિમુક્ત રહેવાને માટે પરિપકવ જ્ઞાનદશા સંપ્રાપ્ત કરવી જોઈએ. અધ્યાત્મજ્ઞાનસ્વરૂપમાં જ્યારે આત્મા પરિણામ પામે છે ત્યારે બાહ્યકાર્યોમાં અહંમમત્વની વૃત્તિ ઉત્પન્ન થતી નથી અને હર્ષશેકરહિતપણે આત્માનન્દમાં મગ્ન થઈને કર્મયોગ કરાય છે. અધ્યાત્મ જ્ઞાનિ મહાદેશને હૃદયમાં ધારણ કરીને કર્મચાગને આદરે છે. તેઓ સંમૂરિછમની પેઠે ક્રિયાપ્રવૃત્તિમાં પ્રવર્તતા નથી. અધ્યાત્મજ્ઞાનિયે વ્યવહારનયપ્રમાણે વ્યવહારે બાહ્યથી પ્રવર્તે છે અને અંતથી ન્યારા રહે છે, તેથી તેઓ ચિતકિયાગથી ભ્રષ્ટ થતા નથી. અધ્યાત્મજ્ઞાનિયેના હસ્તમાં ખરેખર કિયાગ (કર્મવેગ) રહેલે હોય છે. ક્રિયાયોગના અસંખ્ય ભેદે છે તેથી તે વિષે એકસરખી સર્વની પ્રવૃત્તિ અમુક બાબતમાં હેય વા ન હોય તેથી તે કાંઈ ચર્ચાનું કારણ નથી, અધ્યાત્મજ્ઞમુનિવરે શબ્દના પ્રહારને સહે છે. જગના અનેક વા પ્રહારેને સહન કરીને સ્વકર્તવ્યમાં અડગ રહે છે. મૃતકદેહને શુચિ દ્રવ્યનું લેપન કરવામાં આવે અને પુષ્પમાળાઓનું પરિધાન કરવામાં આવે તેમજ તેને અશુચિ દ્રવ્યનું લેપન કરવામાં આવે છે તે બન્નેમાં તેને કાંઈ હર્ષશેક થતો નથી તત્ અધ્યાત્મજ્ઞાનિયે જગત્ની શુભાશુભ વૃત્તિથી મરેલા હોય છે તેથી તેઓને પૂજવામાં વા નિન્દવામાં આવે તે તે બેથી તેમને કંઈ અસર થતી નથી. એવી શબ્દનય પ્રતિપાદ્ય અપ્રમત્ત જીવન્મુક્ત મહાત્માની દશા પ્રાપ્ત કરવાને તે અભ્યાસ સેવ જોઈએ કે જેથી અજ્ઞાનથી મરેલી દુનિયાનું પુનરૂજજીવન કરી શકાય, અધ્યાત્મજ્ઞાની ચિતન્યવાદી છે અને જે આત્મજ્ઞાની નથી તે જડવાદી છે. પિતે આત્મા છતાં જડવસ્તુમાં સુખદુઃખની કલ્પનાથી અહંમમત્વ કલ્પીને રાગદ્વેષવૃત્તિથી અનેક કર્મને બાંધે છે. આત્મા અને કર્મનું પરિપૂર્ણ સમસ્વરૂપ અવબોધાયું નથી ત્યાં સુધી મનુષ્ય બાહા પદાર્થોની પ્રાપ્તિ માટે વિશ્વજીની સાથે યુદ્ધ કરે છે અને ભૈતિકોન્નતિમાંજ પિતાનું સર્વસ્વકલપી લે છે. જડવાદી અર્થાત્ નાસ્તિન કવાદી ધર્મની ક્રિયાઓ યદ્યપિ કરે છે તે પણ જડવસ્તુઓમાં અા For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy