________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૪
ફથી માન ન મળે તે પણ સ્વકાર્ય પ્રવૃત્તિમાંથી પતિત થવાને અને પશ્ચાત્તાપ કરવાને પ્રસંગ પ્રાપ્ત થતું નથી. અનાસકત મનુષ્ય આવશ્યક કર્તવ્ય છે જે દ્રવ્યક્ષેત્રકાલભાવની અપેક્ષાએ હોય છે તેઓને વિમરી જતા નથી અને કર્તવ્યસાધ્ય માર્ગથી ભ્રષ્ટ થઈને અન્ય માર્ગે ગમન કરી શકતા નથી. શિવાજીને દેશદ્ધાર કર્તવ્ય કર્મ કરવાનું હતું તેથી તેની સામગ્રીઓ દ્વારા તે કાર્યમાં તે પ્રવૃત્ત થયે પરંતુ અન્યરૂપવંતી સ્ત્રીઓમાં તે આસક્ત થયે નહિ તેથી તે સ્વકાર્યની સિદ્ધિમાં વિજય પામે. અલાઉદ્દીન વગેરે બાદશાહે એ પરસ્ત્રીમાં આસક્તિ ધારણ કરી તેથી તેઓ સ્વકાર્યમાં આગળ વધી શકયા નહિ અને સ્વવંશની ચિરસ્થાયિતાને પાયે મજબુત કરી શક્યા નહિ. પૃથુરાજ ચૌહાણના પ્રધાનપુત્ર રાજ્યનિષ્ઠાથી ભ્રષ્ટ થઈને શાહબુદ્દીનની લાલચમાં ફસાયે તેથી હિંદુઓનું રાજ્ય સદાને માટે પરદેશીઓના હસ્તમાં ગયું તેમાં ખાસ આસક્તિભાવજ કારણભૂત હતે. ચાંપાનેરના રાજાને પરસ્ત્રી પર આસક્તિ થઈ તેથી તે રાજ્યકર્તવ્ય કાર્યપ્રવૃત્તિના પ્રામાણ્યથી ભ્રષ્ટ થયે અને તેનું રાજ્ય નષ્ટ થયું. કરણઘેલાએ પ્રધાનની સ્ત્રી પર આસક્તિ ધારણ કરી તેથી તેણે સદાને માટે ગુર્જરત્રાને પરવશ કરી. શુભ આસક્તિ અને અશુભ આસક્તિને જાણવાથી પ્રથમતે અશુભ આસકિતને દૂર કરી શકાય છે. ન્યાયપૂર્વક જે જે પદાર્થોની ધર્માદિનિમિત્તે આસક્તિ ધારણ કરવી પડે છે તેને શુભાસકિત કહેવામાં આવે છે. શુભકષાયેપૂર્વક બાહ્ય પદાર્થની વા...છાને શુભાસક્તિ કહેવામાં આવે છે. કર્તવ્યકાર્યમાં જ્ઞાનીએ શુભાસક્તિ કરતાં સ્વફરજને વિશેષ મહત્ત્વ આપે છે કારણકે ફરજ માનીને અનાસક્તિથી કાર્યો કરતાં કષાયેની મદતા રહે છે અને ઉચ્ચ ધર્મમાર્ગમાં ગમન કરતાં પ્રથમ ગૃહીત કાર્યોમાં બંધાવાનું થતું નથી તેમજ સર્વ કાર્યો કરતાં છતાં સર્વથી ન્યારાપણાનો નિરસંગભાવ અનુભવી શકાય છે. “જે છે તે સર્વ સુખ ખરેખર આત્મામાં છે તે વિના અન્ય કશું કંઈ મારું જડ વસ્તુઓમાં નથી.” અન્ય આત્માઓના પ્રસંગમાં આવીને મારે વ્યવહારમાળે જે ફરજો બજાવવાની છે તે બજાવવી પડે છે. જે કંઈ કરાય
For Private And Personal Use Only