SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮૬ પ્રવૃત્ત થઈ શકે છે. પ્રત્યેક મનુષ્યના પ્રત્યેક કાર્યની વ્યવસ્થા અવલેકીને તેની કર્તવ્યશક્તિ માટે મત બાંધી શકાય છે અને તે કાર્યપ્રવૃત્તિમાં કેટલા અંશે સફલ થશે તેને નિર્ણય કરી શકાય છે. કાર્યની વ્યવસ્થા જાણવી અને કરવી એજ પ્રથમ કાર્યયોગી થતાં શિખવાનું છે. જે કાર્યની વ્યવસ્થા અને તેને કરવાને અનુક્રમ ન જણાયે તે સમૂછિમની પેઠે કાર્યપ્રવૃત્તિ થવાની એમ નિશ્ચયતઃ અવધવું. જે જે મહાકાર્યગીઓ થયા થાય છે અને થશે તેમાં વ્યવસ્થાક્રમ બોધ અને વ્યવસ્થાકમપ્રવૃત્તિજ મુખ્ય કારણ અવધવું. સ્વવ્યક્તિ પરત્વે દૈવસિક, પાક્ષિક અને વાર્ષિક જે જે કર્તવ્ય કર્મ કરવાનાં હેય અને સમાજપરત્વે જે જે વ્યાવહારિક અને ધાર્મિક કાર્યો કરવાનાં હેય તથા સંઘને અને દેશને ઉદેશી જે જે કાર્યો કરવાનાં હોય તેમાં અનુક્રમ કાર્ય કરવાની પ્રવૃત્તિ અને કાર્ય કરવાની સર્વ પ્રકારની વ્યવસ્થાને બેધ અને પ્રવૃત્તિ એ બેમાં જેઓ દઢતા, ખંત અને ઉત્સાહશીલ હોય છે તેઓ સ્વફરજોને સારી રીતે અદા કરી શકે છે એમ અનેક કાર્યગીએનાં ચરિત્ર વાંચવાથી અવબોધાઈ શકે છે. કામ સાદુ ધર્ય યશુદ્ધિ પર મમ્, તેથવિદ્યતેતરમદેવપરા, એ શ્લેકના ભાવ પ્રમાણે જેનામાં ઉદ્યમ, સાહસ, બૈર્ય, બલ બુદ્ધિ, અને પરાક્રમ હોય છે અને તે જે યદિ વ્યવસ્થાક્રમથી કાર્યમાં પ્રવૃત્ત થાય છે તે પશ્ચાત તેની કર્તવ્ય કાર્યસિદ્ધિમાં શું બાકી રહે? અર્થાત કંઈ પણ બાકી રહે નહિ, વિકમભૂપતિ, શ્રેણિકભૂપતિ, કુમારપાલ અને અકબર વગેરે રાજાઓમાં ઉદ્યમ, સાહસ, વૈર્ય, બળ, બુદ્ધિ અને પરાક્રમ હતું તેથી તેઓ કર્તવ્ય રણક્ષેત્રમાં મહાદ્દાઓ થઈને ઘૂમી વિશ્વમાં પ્રસિદ્ધ થયા છે. વિદ્વાન હય, યે હેય, વ્યાપારી હોય અને પરાક્રમી હોય પરન્તુ તે જે વ્યવસ્થાક્રમના શિક્ષણથી વિજ્ઞાન બનેલ હોય તે કર્તવ્ય કાર્યો કરવામાં તે પશ્ચાતું રહે છે એમ અનેક દષ્ટાંતથી અવલેકી શકાય છે. વ્યવસ્થાકમબેધથી અનેક પ્રકારની શક્તિઓને એકઠી કરી શકાય છે. અતએ સંક્ષેપમાં કથવામાં આવે છે કે કાર્ય વ્યવસ્થાકમજ્ઞાનની જેને સભ્યપ્રાપ્તિ થઈ છે તે કર્તવ્ય કાર્યને અધિકારી બને છે. કર્તવ્ય કર્મ વ્યવસ્થાકમબેધની પ્રાપ્તિની જેટલી આવશ્યકતા છે For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy