________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૬ શક્તિ વિના ભક્તિ નહીરે, શક્તિ વિના નહીં નીતિ; શક્તિ ત્યાં પાયે પહેરે, જગજનની એ રીત. જગતમાં. ૧૮ રજોગુણ તોગુણ અનેર, સાત્વિગુણની શક્તિ; સ્વસ્વસ્થાને સહુ રહેશે, કાલ અનાદિથી વ્યક્તિ. જગતમાં. ૨૦ યથાગ્ય નિજફરજથીરે, શક્તિ કાર્ય કરાય;
બુદ્ધિસાગરધર્મનોરે, અકળ અલખ મહિમાય. જગતમાં. ૨૧ ઈત્યાદિ કાવડે વીરતા અર્થાત્ શક્તિવૃદ્ધિ કરવાની ખાસ આવશ્યકતા સિદ્ધ કરે છે. કારણ કે સ્વયેગ્યકાર્યપ્રવૃત્તિના અધિકારની શક્તિવિના ગ્યતા પ્રાપ્ત કરી શકાતી નથી. આત્માની માનસિક-વાચિક અને કાયિક શક્તિની વૃદ્ધિ અને તેને સુવ્યવસ્થાપૂર્વક ઉપયોગ કર્યા વિના આ વિશ્વમાં કઈ પણ વ્યક્તિ સ્વાસ્તિત્વસંરક્ષણ કરવા સમર્થ થઈ શકતી નથી. આત્માની શક્તિ વધારીને દુખેથી વિમુક્ત થઈ આત્મપ્રગતિમાં આગળ વધવું એ ધર્મ છે. એ ધર્મની વ્યાખ્યા ભૂલીને વિશ્વમાં પ્રવૃત્તિ કર્યાથી વ્યવહાર અને નિશ્ચયતઃ પાતંત્ર્ય પ્રાપ્ત કરવું પડે છે. આત્માની વીરતા પ્રગટાવ્યા વિના કેધાદિક શત્રુઓને કદાપિ વશ કરી શકાય તેમ નથી. જે મનુષે આત્માની વીરતાને સેવે છે તે કેધાદિક શત્રુઓને જીતી વિશ્વમાં સ્વાતંત્ર્ય સામ્રાજ્યની પ્રવૃત્તિના અધિકારી બની શકે છે. જે મનુષ્ય કે ધાદિક અન્તરંગ શત્રુઓના તાબે થાય છે તે મનુષ્ય વિશ્વમાં માનસિક-વાચિક અને કાયિક નિર્બલતા પ્રાપ્ત કરીને અવનતિના માર્ગમાં સંચરે છે. અતએ કેધાદિક કષાયોને જીતવામાં આત્મિક વીરતા પ્રગટાવવાની આવશ્યકતા છે. જે વીર મનુષ્ય છે તે અનેક પ્રકારના વિદનેને સહેજે જીતી શકે છે. વીરપુરૂષ ક્ષમા રાખીને કર્તવ્યકર્મમાં પ્રવૃત્તિ કરી સાધ્યની સિદ્ધિ કરે છે.અતએ કાર્યપ્રવૃત્તિને અધિકારી વીરપુરૂષ છે એમ કથવામાં વચિત કોઈ પણ પ્રકારને વિરોધ આવતું નથી. વીરમનુષ્ય દ્રવ્ય અને ભાવથી વીરતાને પ્રત્યેક કાર્યની પ્રવૃત્તિમાં ઘટતે ઉપયોગ કરી શકે છે. દેશનું રક્ષણ, ધર્મનું રક્ષણ, વ્યાપારનું રક્ષણ, સંઘનું રક્ષણ, સમાજનું રક્ષણ, કુટુંબનું રક્ષણ, અને સ્વનું રક્ષણ આદિ અનેક પ્રકારની રક્ષણપ્રવૃત્તિને વીરપુરૂષ સેવી શકે છે. ધર્મની આરાધના કરવી, ધર્મની સ્થાપના કરવી, અધર્મીઓથી ધર્મનું રક્ષણ કરવું, નાસ્તિકના વિચારે
For Private And Personal Use Only