SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૮ અએવ પૂર્વપુરૂએ દ્રઢ નિશ્ચયતઃ કાર્ય કરવાની પ્રવૃત્તિને ઉપાદેય ગણી છે તે ખરેખર એગ્ય છે. કઈ પણ કાર્ય કરવાની નિશ્ચયબુદ્ધિથી આત્મિકબળ ખીલે છે અને શિવાજી તથા પ્રતાપની પેઠે સ્વકાર્યપ્રવૃત્તિમાં વિજય મેળવી શકાય છે. કાર્ય કરવાની નિશ્ચયબુદ્ધિથી સ્વકર્તવ્ય કાર્ય ફરજમાં પરિપૂર્ણ આત્મભેગ આપી શકાય છે. વનરાજ ચાવડાએ સ્વરાજ્યપ્રાપ્તિ સંબંધી નિશ્ચય બુદ્ધિથી કાર્ય પ્રવૃત્તિ આરંભી હતી તેથી તે અન્ને સ્વરાજ્ય સ્થાપન કર્મપ્રવૃત્તિમાં અનેક વિપત્તિ સહીને વિજય પામે. સામંતસિંહને સ્વકાર્ય પ્રવૃત્તિમાં આત્મબુદ્ધિની અનિશ્ચયતા રહેતી હતી તેથી તે મારા અને એનું મૂળરાજ સોલંકીએ રાજ્ય લીધું. અકબર, એરંગજેબ અને નાનકસિંહ વગેરેને સ્વાધિકારગ્ય સ્વકાર્યપ્રવૃત્તિમાં નિશ્ચયાત્મક બુદ્ધિ હતી તેથી તેઓ આત્મબળ ખીલવીને સ્વસાધ્ય કાર્યપ્રવૃત્તિમાં વિજય પામી ઇતિહાસના પાને અમર થયા. નિશ્ચયાત્મક બુદ્ધિવિના કદાપિ આત્મબળ ખીલતું નથી, એમ અનુભવ કરી અવલેકવું. પોતે જે કાર્ય કરે તેમાં સ્વયેગ્યતાને નિશ્ચય ન થવાથી આત્મશ્રદ્ધાનું બળ વૃદ્ધિ પામતું નથી અને તેથી પરિણામ અંતે એ આવે છે કે અહંમમત્વરહિત આત્મભેગપૂર્વક કાર્ય કરી શકાતું નથી. જે દેશમાં અનિશ્ચિત બુદ્ધિવાળા મનુષ્ય ઉત્પન્ન થાય છે તે દેશની રાજ્યમાં-વ્યાપારમાં–સૈનિકબળમાં–હુન્નરકળામાં–શારીરિક-વાચિક અને માનસિકબળમાં હીનતા વધે છે અને તે દેશનું સ્વાતંત્ર્ય નષ્ટ થવાની સાથે પરતંત્રતાની બેડીમાં તે દેશ રીબાય છે. લોકિક કાર્યપ્રવૃત્તિમાં અને ધર્મકાર્યપ્રવૃત્તિમાં અનિશ્ચયાત્મક બુદ્ધિથી મનમાં અનેક પ્રકારના સંશય ઉદ્ભવે છે અને તેથી મનની કાર્યપ્રવૃત્તિમાં નપુંસકના જેવી દશા થાય છે. અએવ કર્મયોગીઓએ કાર્યપ્રવૃત્તિમાં નિશ્ચયાત્મકબુદ્ધિવાળા થવું જોઈએ. જેની મતિ સ્વકાર્યપ્રવૃત્તિમાં નિશ્ચયાત્મિક વર્તે છે તે મનુષ્ય ગમે તેવા અશક્ય કાર્યને સુસાધ્ય કરી સાધી શકે છે. કેઈ પણ કાર્યમાં જેની અનિશ્ચયાત્મકબુદ્ધિ વર્તે છે તે વિશ્વમાં જન્મીને કંઈ પણ ઉકાળ નથી. અને માંસના લેચાથી બનેલા તેના શરીરમાં જીવ છતાં પણ તે એક પપૈયાને ન છાજે તેવું સ્વપ્રવૃત્તિમાં મન રાખે છે. પ્રસંગોપાત્ત કાર્ય For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy