________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૦
થયે નથી, તે નથી અને કદાપિ થશે નહિ એ પરપૂિર્ણ આનુભવિક નિશ્ચય થયા વિના કદાપિ ભયવાસનાને નાશ થતો નથી. આત્માના અસંખ્ય પ્રદેશવિના બાકી જે જે આ ત્માને કાયાદિને સંગ થએલે છે તેનું મમત્વ ટળ્યા વિના કદાપિ ભયવાસનાને નાશ થતું નથી. બાહ્ય શરીરાદિનું મમત્વવિના તેઓનું ઉપગિવ અવધી અનેક ઉપાયોએ કાયાનું સંરક્ષણ કરવું એ સ્વફરજ છે પરંતુ બાહ્યમાં મનાએલી પ્રતિષ્ઠા, કીર્તિ, અને માન્યતા વગેરેમાંથી સંપૂર્ણરીત્યા અહંમમત્વ ટાળ્યા વિના કદાપિ ભયવાસનાને સર્વથા જય કરી શકાતું નથી. બાહ્યથી શારીરિકાદિનું અનેક ઉપાએ સંરક્ષણ કરવું અને અન્તમાં ભયના પરિણામને અંશમાત્ર સ્થાન ન આપવું એજ નિર્ભયતાનું ખરું લક્ષણ છે. અનેક રોગો આદિનાશકારકહેતુઓથી શરીરાદિનું સંરક્ષણ કરવાથી કંઈ ભય ગણાતે નથી. ખરેખર ભયને અન્તરમાં ઉત્પન્ન થાય છે. મનમાં ભયના પરિણમને ઉત્પન્ન થતેજ વારવાથી કાર્ય કરવાની ચેતા સંપ્રાપ્ત કરી શકાય છે. કાર્યની સિદ્ધિમાં કદાપિ આત્મસ્વાર્પણ કરતાં ભય ન પામ જોઇએ. સ્વફરજને અદા કરવામાં જે મનુષ્ય નિર્ભય છે તેજ સત્ય કર્મયોગી છે. જે મનુષ્ય હદયમાં કોઈ પણ પ્રકારના ભયને ધારણ કરતું નથી તે “દંપત્તામવા વાર્થ સાયમની દશાની ઉચ્ચતા પામીને કાર્ય કરવાને અધિકાર પ્રાપ્ત કરી શકે છે. અનેક પ્રકારના આવશ્યક કાર્યની પ્રવૃત્તિમાં ભયને ઉત્પન્ન થવા દે એ આત્મપુરૂષાર્થના ક્ષયપ્રતિ મહાકાલને ઉત્પન્ન થવા દેવા બરાબર છે. જે મનુષ્ય કેઈ પણ જાતના ભયને સેવ નથી અને ફક્ત સ્વકાર્ય પ્રવૃત્તિની ફરજમાં આત્માવિના અન્યને દેખતે નથી તે ખરેખર કાર્યગી થાય છે. અનેક દુશ્મને રહામાં આવતા હોય, અનેક સંકટ પ્રાપ્ત થએલ હોય અને સ્વીકાર્યપ્રવૃત્તિમાં અનેક વિપત્તિ આવેલી હોય તે પણ સ્વાત્માને નિર્ભયધારી મૃત્યુ આદિથી જે ભય ન પામતાં સ્વફરજને સમભાવે અદા કરે છે તે કર્મવીરચગીના ચરણકમલને દેવતાએ પૂજે છે. વિક્રમ રાજાએ યદિ સ્વકાર્યપ્રવૃત્તિમાં ભય ધારણ કર્યો હતો તે તે સ્વનામને વિશ્વમાં
For Private And Personal Use Only