SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શબ્દાર્થ –ક્ષુદ્રાદિ દેષયુક્ત ચિત્તવડે જે કરાય છે તે રાજસ છે અને મોહથી દુષ્ટ મનવડે જે કરાય છે તે તામસ છે. રાગદ્વેષાદિ નિર્મુક્ત ફલેચ્છા સંગવજિત એવું જે કર્મ જિતષી એવા જ્ઞાનીવડે કરાય છે તે સાત્વિક કર્મ અવબોધવું. હું જ્ઞાની છું. હું ધ્યાની છું, હું કલેક્તા છું, ઈત્યાદિ અહંમમત્વથી યુક્ત સાત્વિક રોગી હોય છે. વિવેચન ક્ષુદ્રતા, સ્વાર્થતા, કપટ, વિશ્વાસઘાત, લેભાન્ધતા, વિષયલોપટ, અજ્ઞાન અને નિન્દાદિદેવડે જે જે કાર્યો કરાય છે તે રાજસ કર્મો જાણવાં. ક્રોધ, માન, મેહ, વૈર, અને ફ્લેશાદિ દોષો વડે યુક્ત એવા મનવડે જે કર્મો કરાય છે તે તામસ કર્મો અવબેધવાં. ક્ષુદ્રતા, તુચ્છતા, ક્રોધ, માન, માયા, લોભ, ઈર્ષા, વૈર, નિન્દા, અસત્ય વચન, વિશ્વાસઘાત, હ, પ્રપંચ અને અહંમમત્વા દેથી રહિતપણે જે કાર્યો કરવામાં આવે છે તેઓને સાત્વિક કર્મ અવધવાં. રજોગુણ, તમોગુણી અને સાત્વિકગુણ વૃત્તિને કાર્યોમાં આરોપ કરીને કાર્યોને રજસ તામસ્ અને સાત્વિક કર્મ તરીકે પ્રબેધવામાં આવે છે. વિદ્યાકર્મપ્રવૃત્તિ, ક્ષાત્રકર્મપ્રવૃત્તિ, વિશ્ચકર્મપ્રવૃત્તિ અને સેવ્યકર્મપ્રવૃત્તિ એ ચાર પ્રકારની પ્રવૃત્તિ પૈકી ગમે તે કર્મપ્રવૃત્તિને સત્વગુણી મનુષ્ય સત્વગુણપ્રધાનતાએ સેવી શકે છે, જેગુણી મનુષ્ય રજોગુણપ્રધાનતાએ સેવે છે, અને તમે ગુણી મનુષ્ય તમે ગુણપ્રધાનતાએ એવી શકે છે. એકનું એક કર્મ ખરેખર રજોગુણવૃત્તિવાળાને રજોગુણકર્મ તરીકે પરિણમે છે, તમે ગુણવૃત્તિવાળાને તમે ગુણ ફલપ્રદ પરિણામરૂપે પરિણમે છે, અને સત્વગુણુ મનુષ્યને સત્વગુણપ્રધાનતાએ પરિણમે છે. પ્રશસ્યલેભ, પ્રશસ્યોધ, પ્રશસ્યમાયા અને પ્રશસ્યમાનાદિધારકેને સત્વગુણની વૃત્તિ ખરેખર વિવેકજ્ઞાને ખીલતી જાય છે. પ્રશસ્ય રાગદ્વેષના પરિણામની સાથે સાત્વિકવૃત્તિને પ્રારંભ થાય છે, અને રાગદ્વેષાભાવે તે સાત્વિકગુણની ઉગ્રતા પરિપૂર્ણ પ્રકાશે છે. રજોગુણ અને તમોગુણ આહારથી રજોગુણવૃત્તિ અને તમોગુણવૃત્તિની વૃદ્ધિ થાય છે એમ પ્રાયઃ અવાધાય છે. સત્વગુણ આહાર અને સત્વગુણ વાતાવરણથી સત્વગુણવૃત્તિ ખીલી શકે છે. ક્ષુદ્રાદિષયુક્ત ચિત્તવડે પ્રવૃત્તિ કરનારાઓ રજોગુણી મનુ For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy