________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થ
વર્ણધર્મવ્યવસ્થા
૫. વિવેકરૂપ–નંદિવર્ધન ૬. શુદ્ધપરિણતિરૂપયશદાદેવી ૭. સાત્તિવક વૃત્તિઓ રૂપ-ઈન્દ્રો, ઈન્દ્રાણુઓ, દેવો તથા
દેવીઓ વગેરે ૮. કર્મોદયિક ભાવ તે આત્મપ્રભુનું બાહ્ય મહાવીર
સ્વરૂપ છે. ૯. ઉપશમ, પશમ અને ક્ષાયિક ભાવ તે પ્રભુનું આધ્યા
ત્મિક મહાવીર સ્વરૂપ અને તેમની શક્તિઓ જાણવી. ૧૦. પુરૂપ ભારતક્ષેત્ર છે. તેમાં કર્મોદયથી આત્મપ્રભુને અવતાર જાણો.
વ્યવહારનયથી અને નિશ્ચયનયથી પ્રભુ મહાવીરદેવનું જીવન જેઓ શ્રવણ કરશે, કરાવશે, અને શ્રવણ કરનારાઓની અનુદના કરશે, તેઓ અવશ્ય અન્તરાત્મ મહાવીરપદને અને પરમાત્મા મહાવીરપદને પામી સિદ્ધ, બુદ્ધ થશે અને મુક્તિને વરશે.
પ્રભુ મહાવીરદેવનું રહસ્થાવાસનું જીવનચરિત્ર અને ત્યાગાવસ્થાનું જીવનચરિત્ર પ્રથમ શ્રીયશદાદેવીના કથનથી તેમની પ્રિયપુત્રી પ્રિયદર્શનાએ બ્રાહ્મી લિપિમાં સંસ્કૃત ભાષામાં લખેલું. તે એક લાખ કલેકપ્રમાણ થયું. તેની એક પ્રતિ સૌધર્મ દેવલેકમાં ઇન્દ્ર પાસે રહી અને બીજી પ્રતિ હિમાલયવાસી માર્કડેય ઋષિના પુત્ર જ્ઞાનભૂતિએ લખી અને તે હિમાલય પર્વતના કૈલાસશિખરની પાસેના આદિનાથ શિખરની ગુફામાં રાખી. ત્રીજી પ્રતિ પ્રિયદર્શનાએ પિતાની પાસે રાખી.
કાલાનુગે જેનાર્ય વેદપનિષદ અને પૂર્વ દ્વાદશાંગીના ધારક શ્રી યશોભદ્રસૂરિ થયા. તેમણે શ્રીમતી પ્રિયદર્શનાએ લખેલ પુસ્તક રાજગૃહી નગરીના નાલંદાપાડામાંથી મેળવ્યું અને તેમાંથી અતિ સંક્ષેપ વૃત્તાંત ખેંચીને નાગરી લિપિમાં અને સંસ્કૃત ભાષામાં
શ્રી ગૃહસ્થ ત્યાગી મહાવીર ચરિત્ર” રચ્યું. તે પુસ્તક પરંપરાએ નગમીય સંપ્રદાયના આચાર્યોના અધિકારમાં રહ્યું.
For Private And Personal Use Only