________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯. મુક્તિનું સ્વરૂપ
સુપાર્શ્વ રાજાની પત્ની ગૌરીએ પ્રભુને મુક્તિનું સ્વરૂપ કેવું છે તેને પ્રશ્ન કર્યો અને વંદી-પૂજી પ્રભુને કહ્યું કે, “હે. પ્રભો ! આપ વિના મુક્તિનું યથાર્થ સ્વરૂપ કઈ કહી શકે તેમ નથી. માટે કૃપા કરીને મને એ સમજાવે. આપ વિશ્વોદ્ધારક છે માટે મને સમજાવે.”
પ્રભુ મહાવીરદેવે શૌર્યપુરીય ભૂપતિ સુપાર્થ રાજાની પત્ની ગૌરી સતીને કહ્યું કે, “હે ગૌરી સતી! એવંભૂતનયની દષ્ટિએ પરિપૂર્ણ મુક્તિનું સ્વરૂપ કહું છું તે શ્રવણ કર. સર્વ કર્મને ક્ષય તે મોક્ષ છે. બંધની અપેક્ષાએ મોક્ષ છે. જેને બંધ નથી તેને મોક્ષ નથી. જેને બંધ ઘટે છે તેને મોક્ષ ઘટે છે. સર્વ કર્મને ક્ષય થયા પછી સિદ્ધ દશામાં જન્મ–જરા-મૃત્યુ નથી. ત્યાંથી પુનઃ સંસારમાં પરિભ્રમણું થતું નથી. મુક્તાત્માઓ સદા સ્વતંત્ર છે. તેઓ સ્વયં પ્રભુ છે. તેઓ જ્ઞાન વડે અને આનંદ વડે સ્વતંત્ર છે. મુકતાત્માઓ અનંત જ્ઞાનાનંદના ભોકતા છે. તેઓ અનંત દુઃખથી સર્વથા રહિત અને અનંત પરમાનંદમાં મગ્ન છે. પરિપૂર્ણ સત્ય મુકિત એવા પ્રકારની છે. તેમાં અંશમાત્ર અસત્ય તથા અંશમાત્ર ઉપચાર નથી. પરિપૂર્ણ મુકિત પશ્ચાત્ બાકી કોઈ મુક્તિસ્વરૂપ અને મુકતસ્વરૂપ રહેતું નથી. સાત નય પ્રતિ એકેક નય દ્વારા પરસ્પર નય. સાપેક્ષપણે જે, મુકિતનું સ્વરૂપ છે તે સાપેક્ષ દષ્ટિએ માનવા અને પ્રાપ્ત કરવા ગ્ય છે.
For Private And Personal Use Only