________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮. ધ્યાનનું સ્વરૂપ અને તેના ભેદ
પ્રભુ વિહાર કરતા કરતા શૌર્યપુરમાં પધાર્યા. ત્યાંના રાજા પ્રભુ મહાવીરના સંસારીપણાના સૂર્યવંશમાં જ્ઞાતકુલપ્રસ્સિદ્ધ સિદ્ધાર્થ રાજાના સગા ભાઈ સુપાર્શ્વ રાજા હતા. તેમણે પ્રભુ મહાવીરદેવનું ઉદ્યાનમાં આગમન શ્રવણ કર્યું. સુપાર્શ્વ રાજા અને તેની પત્ની વિરતિ વગેરે સર્વ નગરના લોકો પ્રભુને વંદન કરવાને ગયા. બારમા અશ્રુત વૈકુંઠ દેવકમાંથી અશ્રુતેન્દ્ર પણ પ્રભુને ત્યાં વંદન-દર્શન કરવા આવ્યા. સુપાર્શ્વ રાજા વગેરે સૌ નગરલકોએ પ્રભુની પૂજા, સ્તવના, વંદના કરી. સુપાર્શ્વ રાજાએ પૂછ્યું કે, “હે ભગવન્! ધ્યાનના કેટલા ભેદ છે અને ધ્યાનનું શું ફળ છે, તે કૃપા કરીને જણાવશે.”
પ્રભુએ કહ્યું કે, “હે સુપાર્શ્વ રાજન! ધ્યાનના અનેક ભેદ છે. તેમાં ચાર ધ્યાન મુખ્ય છે. તેનું સ્વરૂપ શ્રવણ કરે. આર્તધ્યાન, રૌદ્રધ્યાન, ધર્મધ્યાન અને શુકલધ્યાન એ ચાર ધ્યાનના પ્રકાર છે.” આર્તધ્યાન:
સંકલ્પ, વિકલ્પ, શેક, ભય આદિ કષાવાળું ધ્યાન તે આર્તધ્યાન છે. ઈષ્ટના વિયેગથી જે શેક, ભય, મેહ આદિ થાય છે તે ઈષ્ટવિયેગ નામનું ધ્યાન છે. અનિષ્ટ અને દુઃખ દેનારી વસ્તુઓના સમાગમથી જે ભય, શેક, ચિંતાદિ વિચારો પ્રગટે છે તે અનિષ્ટસંગ નામનું આર્તધ્યાન જાણવું. ભવિષ્ય કાળ સંબંધી શું થશે શું કરીશું એવી ખરાબ વિચાર
For Private And Personal Use Only