SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મૃત્યુ પછીનું જીવન ૨૯૭ અજ્ઞાનીઓનું મરણ તે બાળમરણ છે. આત્માને અનુભવ કર નાશ પંડિતમરણથી મરે છે. મિથ્થાબુદ્ધિવાળા અજ્ઞાનીઓ આત્માનું જ્ઞાન જાણી શકતા નથી, આત્માની શુદ્ધતાને ઓળખી શકતા નથી અને મરણવખતે મેહ-અજ્ઞાનના પરિણામથી મરે છે. તેથી તેઓનું બાળમરણ જાણવું. બાળમરણમાં મારું શરણ હોતું નથી. બાળમરણમાં ક્રોધાદિક કષાની પરિણતિ વર્તે છે. બાળમરણમાં આત્માનું અજ્ઞાન હોય છે. મારા પર શ્રદ્ધા-પ્રીતિવાળાઓનું સમાધિમરણ તથા પંડિતમરણ જાણવું. જડ વિષમાં જ એકાન્ત સુખ માનનારા અને મરતી વખતે વિષયનું ચિંતવન કરનારાઓનું બાળમરણ જાણવું. અનંતી વાર જો બાળમરણથી મરણ પામીને વારંવાર જન્મ–જરા– મૃત્યુના દુઃખને પામે છે. બાળમરણથી દુર્ગતિમાં જન્મ થાય છે. દેહથી આત્માને જેઓ ભિન્ન માને છે તેઓનું પંડિતમરણ થાય છે. મરતી વખતે જે શુભ પરિણામ વર્તે તો શુભ મરણ જાણવું અને અશુભ પરિણામ વર્તે તો અશુભ મરણ જાણવું. મરતી વખતે સમભાવ વતે તે સમભાવમરણ અપેક્ષાથી જાણવું. શુભ મરણથી સ્વર્ગ અને મનુષ્યગતિમાં અવતાર થાય છે, અશુભ મરણથી નરકગતિમાં અને તિર્યંચગતિમાં અવતરવાનું થાય છે.” શુદ્ધોપગે મુક્તિ: “સર્વ પ્રકારની શુભાશુભ વાસનારહિત કેવલ શુદ્ધાત્મપરિણામમાં વર્તતે આત્મા દેહને ત્યાગ કરે છે તો તે સિદ્ધ મહાવીરપદને પામે છે. મરતી વખતે જેઓ પોતાને સ્થાસૂક્ષ્મ શરીર, કર્મ, લેડ્યા અને મન થકી ભિન્ન જાણે છે અને આત્માના શુદ્ધોપેગે વર્તે છે તેઓ ગમે તેવા આસને બેઠા હાથ, ચત્તા પડી રહેલા હોય, તો પણ તેઓ મુક્ત શુદ્ધ મહાવીર થાય છે. ગમે તેવા અપવિત્ર સ્થાનમાં પણ શુદ્ધોપગે દેહ છોડવાથી મુક્તિની પ્રાપ્તિ થાય છે. રણમાં મરતો હો For Private And Personal Use Only
SR No.008601
Book TitleKalpanik Adhyatma Mahavira Part 3
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1969
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy