________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૨
અધ્યાત્મ મહાવીર પશુનો નાશ કરે છે. વ્યાવહારિક અને નૈશ્ચયિક સર્વ જાતીય શક્તિવૃન્દરૂપ સિંહને જે તાબે કરે છે તે પરબ્રહ્મ મહાવીર બને છે, તે વિશ્વને પ્રભુ છે એમ, રાજાએ ! તમે જાણે.” જિન અને જૈનધર્મ:
“હે રાજાઓ! તમે શક્તિઓ પ્રગટાવો. શક્તિસમૂહરૂપ સિંહના ચિહ્નથી અંકિત મહાવીર બનવા માટે સર્વાત્માઓને હક છે. જ્ઞાનાદિ શક્તિની આરાધના કરવી તે જૈનત્વ છે. અને જ્ઞાનાદિ શક્તિઓને પામવી તે જિનત્વ છે. સાધકને ધર્મ તે જૈનધર્મ અને સિદ્ધત્વ તે જિનવ-મહાવીરત્વ છે. બહિરાત્મભાવથી પ્રારંભીને અન્તરાત્મપદ પામવું તથા ત્યાં સુધીની મનવાણી કાયાની પ્રવૃત્તિ તથા સુવિચાર, ધ્યાન અને જ્ઞાનની પરિણતિ તે અપેક્ષાએ જિન ધર્મ અને જૈન ધર્મ છે.
અનાદિકાળથી જિનધર્મ અને જૈનધર્મ ચાલ્યા કરે છે જે જે અંશે સાધ્યની પ્રાપ્તિ તે જિનધર્મ અને જે જે અંશે સાધનોની પ્રવૃત્તિ કે પ્રાપ્તિ તે સર્વ વિશ્વવતી લોકોનો શ્વાસોશ્વાસે જૈનધર્મ છે. જિનધર્મ અને જૈનધર્મની કાર્યકારણ પરંપરાનો આધાર આત્મા અને બ્રહ્મ છે. આત્મા પૂર્ણ શુદ્ધ થતાં જૈન ધર્મ અને જૈનત્વ રહેતું નથી. પશ્ચાત જિન વગેરે વિશેષણો પણ ઔપચારિક છે. શુદ્ધાત્મા એ જ મહાવીરતા છે. શુદ્ધાત્મા એ જ પરબ્રહ્મ, પરમાત્મા, પરમેશ્વર, નિર્ગુણ દેવ છે. બ્રહ્મા, વિષ્ણુ, હર અને રુદ્રનું સ્વરૂપ:
કર્મપ્રકૃતિને સર્વથા આત્માની સાથે વિયેગ થવો તે અપેક્ષાએ આત્મા તે જ શુદ્ધાત્મા છે અને તે જ પરબ્રહ્મ છે. સાવિક પ્રકૃતિને સ્વામી આત્મા તે જ ઈશ્વર પ્રભુ છે. આત્મા જ્યારે રજોગુણની પ્રવૃત્તિને સાધન તરીકે વાપરે ત્યારે તે અપેક્ષાએ એ બ્રહ્યા છે અને તમોગુણ પ્રકૃતિને જ્યારે તે સાધન તરીકે વાપરે
For Private And Personal Use Only