________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વર
અધ્યાત્મ માહારી પંચતત્ત્વની ઉપયોગિતા અને તેને અન્તર્ભાવ જૈન ધર્મમાં છે. આધ્યાત્મિક દષ્ટિએ અને વેદની ગુપ્ત પરિભાષામાં ક્ષમા એ પૃથ્વી છે, જલ એ ધ્યાન છે, અગ્નિ એ જ્ઞાન છે, વાયુ એ મન છે અને આકાશ એ આત્મા છે. તેઓનું જૈન ધર્મમાં મહત્ત્વ છે, જેથી વેદાદિ શાસ્ત્રને પણ જૈન ધર્મમાં અન્તર્ભાવ થાય છે. એવા અનાદિકાલીન સનાતન જૈન ધર્મની સંકેત દષ્ટિનું ચિહ્ન ધ્વજા છે. ધ્વજાને દંડ સમાન હું પરમાત્મા છું એમ જેઓ જાણે છે તેઓ વેદાગમાદિ શાસ્ત્રસિદ્ધ જૈન ધર્મ એ જ મારું સ્વરૂપ છે એમ સમજે છે અને જેને ધર્મની સેવાર્થે જીવે છે.
“ ધ્વજામાં જે વાયુતત્ત્વ છે તેનાથી પ્રાણાયામ કરી વાયુતત્વ પર જય મેળવવો એમ ગુખ નીલરંગના સંકેત દ્વારા પ્રકાશ્ય છે. પિંડમાં અને બ્રહ્માંડમાં પાંચ તો, મન અને આત્મા છે. પિંડમાં પાંચ તત્ત્વ અને બ્રહ્માંડમાં પણ પાંચ તત્વો છે. પિંડગત પંચતત્ત્વને સંયમ કરવાથી બ્રહ્માંડગત પંચતત્વનું જ્ઞાન થાય છે. પિંડમાં સૂર્ય અને ચંદ્ર છે તેમ બ્રહ્માંડમાં સૂર્ય અને રાંદ્ર છે તે ધ્વજામાં રહેલા સૂર્ય–દ્રના શિથી જાણે. પિંડમાં મન અને આત્મા છે તેમ બ્રહ્માંડમાં અનંત આત્માઓ છે અને પ્રત્યેક આત્માની સાથે મન છે. તેથી અનંત મનદ્રવ્ય છે. પિંડનું જ્ઞાન જેમ આત્મા કરે છે તેમ આત્મા જ્ઞાન વડે અનંત પિંડરૂપ અનંત આત્માઓનું જ્ઞાન કરે છે. પિંડમાં જેમ સુષુમણા નાડી છે તેમ બ્રહ્માંડમાં – રાજલકમાં સનાડી તે જ સુષુણ્ણા નાડી છે. જેટલું પિંડમાં છે તેટલું બ્રહ્માંડમાં છે. પિંડ અને બ્રહ્માંડ બંને ઉત્પાદ-વ્યયધુવાત્મક છે.
જૈનધર્મસામ્રાજ્યના ધ્વજદંડમાં ત્રણ રેખાઓ કરવામાં આવે છે, તે જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ, મન-વાણી-કાયારૂપ તથા ઉત્પાદ–વ્યય-ધ્રુવાત્મક સર્વ વિશ્વ છે એમ જ્ઞાપન કરવા
For Private And Personal Use Only