________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૩
આત્માની પ્રભુતા ગૃહસ્થ ગુરુએ મારા પર પૂર્ણ શ્રદ્ધા-પ્રેમ રાખી તથા મારામાં મન રાખી પ્રવર્તે છે તેઓને વિનય કરો, તેઓની સેવા કરે, તેઓની આજીવિકાવૃત્તિમાં સહાયભૂત બને. ધર્મગુરુઓ પર સદા પૂજ્યભાવ રાખે. ધર્મગુરુઓની યાત્રા કરો. ધર્મ– ગુરૂને સ્વાર્પણભાવથી સે. ઋષિમાં મારું સ્વરૂપ દેખો. ગમે તે માર્ગથી મનુષ્ય મારી આજ્ઞાના જ આરાધક બને છે, માટે ગમે તે માર્ગથી મોક્ષ પ્રાપ્ત કરવાના નિશ્ચયવાળાઓની બુદ્ધિમાં શંકા ન પાડે.
“જે ધર્મ પ્રવર્તકે મારી પાછળ ભવિષ્યમાં થશે તેઓ દેશકાળાનુસારે જેમ યોગ્ય લાગશે તેમ પ્રવર્તશે. જેને જે
ગ્ય લાગે તે ધર્મગુરુને શીર્ષ પર ધારણ કરી મારો ભક્ત સંત બની શકે છે અને અન્ય ધર્મગુરુની સાથે મારા ભક્તો આત્મભાવથી વતી શકે છે. જે ધર્મગુરુને ઉપકાર તમારા પર થયેલ હોય તેને સર્વત્ર જાહેર કરો. ધર્મગુરુ પર જેની શ્રદ્ધા નથી તેની મારા પર શ્રદ્ધા નથી. ધર્મગુરુમાં પૂર્ણતા દેખવાથી જ શિષ્યના હદયમાં જ્ઞાનાદિ ગુણોનો પ્રકાશ થાય છે. ધર્મગુરુઓનું દુષ્ટ લેકે અપમાન કે હેલના કરે, તો તેઓને જે ઘટે તે શિક્ષા કરો. ધર્મગુરુઓ વિનાની દુનિયાને મૃતક સમાન જાણે. પ્રાણુને પણ ધર્મગુરુઓની નિંદા ન કરે. ધર્મગુરુઓને સર્વ વિશ્વમાં વિચરવાની સગવડ કરી આપો. મારા પર શ્રદ્ધા-પ્રેમ રાખી સ્વાર્પણભાવથી વર્તનારા ધર્મ– ગુરુઓ પર સર્વસ્વનું અર્પણ કરો.
કઈપણ જૈનને દેખી, તેને ભેટી, તેના પગે પડે અને તેના પર મારા જેટલો શ્રદ્ધાભાવ અને પ્રેમભાવ રાખો. જેનોને મરતાં બચાવો અને તેઓની ભૂમિ વગેરેનું રક્ષણ કરવા દેહમોહનો ત્યાગ કરી પ્રવર્તે. મારા ભક્ત જૈનેની દ્રવ્યભાવથી ચડતીમાં પોતાની ચડતી માનો અને તેઓની પડતીમાં પિતાની પડતી માને. મારા જેનો પર માત્ર દયાભાવ ન રાખો,
For Private And Personal Use Only