________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯. ગુરુનો મહિમા અને જ્ઞાની–અજ્ઞાનીની ઓળખ
પ્રભુ મહાવીરદેવે સમુદ્રતટ પરનાં ગામમાં વિહાર કરીને ભૃગુકચ્છ, જે નર્મદા નદીના તટ પર આવેલું છે, તેની પૂર્વ દિશાએ નદીતટ પર આવેલા ઉદ્યાનમાં મુકામ કર્યો. પ્રભુ મહાવીર દેવનું આગમન શ્રવણ કરી નર્મદા નદીના તટ પર વાસ કરનારા ઋષિઓ, ગુરુકુલના બ્રહ્મચારીઓ, યેગીઓ, સંતો, મહાત્માઓ, વસિષ્ઠઋષિના વંશજ ઋષિઓ, ભૃગુઋષિના વંશજ ઋષિઓબ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્રો, સ્ત્રીઓ, ભૃગુપુરને રાજા પૌલક્ષ્ય અને તેને ધૃષ્ટકેતુ નામને પ્રધાન વગેરે પ્રભુનાં દર્શન કરવા આવ્યાં. પ્રભુને દેખીને તેઓએ વંદન–નમન કર્યું અને પ્રભુને પ્રદક્ષિણા કરી, પૂજી પ્રભુના સામે લાખે મનુષ્યો બેઠા. પ્રભુએ પૌલત્ય રાજા વગેરેને ત્યાગીઓની સેવા કરવાને ઉપદેશ. આપે, ઋષિઓની સેવાચાકરી કરવાને સદુપદેશ આપે.
પ્રભુએ જણાવ્યું કે, “મારા પ્રતિનિધિ અપરિગ્રહી ધર્માચાર્યો છે. મારી પેઠે ધર્મગુરુને માને. ગૃહસ્થ ગુરુની સેવા. કરો તથા ત્યાગી ગુરુઓની સેવા કરો. ગુરુ પર શ્રદ્ધા–પ્રેમ ધારણ કરે એ જ ગુરુની ભક્તિ છે. ગુરુમાં પ્રભુ દેખો.. મહાત્માઓના આશીર્વાદ ગ્રહણ કરે. ઋષિઓ પાસેથી સદા, તત્વજ્ઞાન ગ્રહણ કરો. ઋષિએ મારા દ્વારા પ્રકાશિત જૈનધર્મનું
સ્વરૂપ સમજાવશે. ઋષિ, મુનિ, ત્યાગીઓ તેમના વેશ, વ્રત, નિયમ, આચારમાં સ્વતંત્ર છે અને ભવિષ્યમાં સ્વતંત્ર રહેશે. વેષ અને ક્રિયાને તેઓ ધર્મના સાધન તરીકે ઉપયોગ કરે છે. તેઓ પિતાથી ઈચ્છા પ્રમાણે વેષ અને ક્રિયામાં ફેરફાર કરી.
For Private And Personal Use Only