________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૪
અધ્યાત્મ મહાવીર સંકટમાં ધીર બનવાની શિક્ષા આપો. પર્વતના જેવા કઠિન અને ઊંચા અને તેમ જ પુષ્પના જેવા સુકોમલ બનો. તમે વાયુની પેઠે અપ્રતિબદ્ધ બનો અને જળ જેવા નિર્મળ બને.”
પ્રભુ મહાવીરદેવ આઘાટ નગરીથી મુહરી (મોરી) નગરીમાં પધાર્યા. મેદપાટમી નિત્યમાં પર્વતોની ખીણમાં આવેલા મુહરી નગરમાં શ્રી પાર્શ્વનાથનું ચૈત્ય હતું. ત્યાં અનેક પ્રકારના
ગીઓ વસતા હતા. તે અષ્ટસિદ્ધિ અને નવનિધિના ધારક હતા. તેઓએ ગજ્ઞાનથી પ્રભુ મહાવીરદેવને પરમાત્મા તરીકે જાણી લીધા અને પ્રભુને વિધિપૂર્વક પ્રદક્ષિણા કરી તેમનું વંદન-પૂજન-સ્તવન કર્યું. કેટલાક યેગીઓ, જેઓ મનઃપર્યવજ્ઞાનધારક હતા, તેઓએ અન્ય રોગીઓને જણાવ્યું કે તમારી અનેક ભવની પ્રેમ, શ્રદ્ધા અને ભક્તિના પ્રતાપે પ્રભુએ અહીં આવીને દર્શન દીધાં છે. માટે પ્રભુને જે કંઈ પૂછવું હોય તે પૂછો.
For Private And Personal Use Only