________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૪
અધ્યાત્મ મહાવીર થી પિતાને ધનવંત ન માનો. ધન એ આત્મા નથી, તો પછી ધન હોય તોય શું અને ન હોય તોય શું?
- ફાંસીના લાકડે લટકવાના પ્રસંગને કર્મની ચેષ્ટારૂપ માને, પણ આત્મારૂપ ન માને. કર્મના ફળથી આત્મા ન્યારે છે એમ જાણી કર્મને શુભાશુભ પર્યાય મારા છે એવી માન્યતાને ભૂલી જાઓ. મનમાં દઢ વિશ્વાસથી માને કે દશ્ય–અદશ્ય એવા કર્મના શુભાશુભ પર્યાયમાં હું આત્મા નથી અને શુભાશુભ પર્યાયેથી મારું સારું બેટું કંઈ નથી. સ્ત્રીશરીરપર્યાયથી આત્માને સ્ત્રીરૂપ ન માને અને પુરુષ પર્યાયથી પોતાને પુરુષરૂપ ન માને, પરંતુ વ્યવહારથી કર્તવ્ય કર્મ કરો.
કર્મના પર્યાયરૂપ કીતિ વા અપકીર્તિને પિતાની માનવી તે ભ્રાંતિ છે. કર્મનું શુભાશુભ ફળ કીતિ કે અપકીર્તિ છે. તેમાં હર્ષશેકનું નહિ પરિણમવું તે આત્મપણું છે, એમ જાણ કીતિ અને અપકીતિમાં શુભાશુભ ભાવથી મૂંઝાઓ નહિ. દેહ કરતાં કીતિની વાસનાને ભૂલવી કઠિન છે. કીતિમાં આત્માનો આરોપ કરે તે જ મિથ્યા ભ્રાંતિ છે. આત્મા તો આકાશની પેઠે નિર્લેપ છે.
- બધા પદાર્થોથી આત્માની મેટાઈ માનવાની વૃત્તિને દૂર કરો. તમે આત્માઓ સદા મેટા છો. બાહ્ય પદાર્થોની મોટાઈ વા તેના અભાવે આત્માની લઘુતા માનવી તે જ મહા અજ્ઞાન છે. બાહ્ય જડ પદાર્થોથી આત્માની મોટાઈ નથી. આત્માની મોટાઈ તો સદાકાલ આત્મરૂપમાં પરિણમ્યાથી છે. માટે બાહ્ય લક્ષમી આદિથી પિતાને મહાન માનવાની ભ્રાંતિને તજે. બાહ્ય પદાર્થોમાં મેટાઈ માનવી તે સ્વપ્નમાં માનેલી - મોટાઈ છે. તે ક્ષણિક છે. મનના વિભ્રમને લીધે બાહ્ય લક્ષ્મીથી
મોટાઈની કલપના પ્રગટે છે, પરંતુ તે અજ્ઞાન છે. માટે બાહ્યથી કપાયેલી મોટાઈ અગર લઘુતાને આત્માની માનો નહિ,
For Private And Personal Use Only