________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ મહાવીર તે પ્રથમ પિતે નિર્વિકલ્પ થવું. પછી જેના ભાવ દેખવા હોય તેના નાભિકમલમાં મનને સ્થાપના કરી અને ત્યાં ને ત્યાં ત્રણ કલાક પયંત દષ્ટિ સ્થાપન કરી તેના પૂર્વભવો દેખાઓ એવો સંક૯૫ કરો. પછી તેમાં સંયમ કરો. પેશ્ચાત મનમાં તે તે મનુષ્ય વગેરેના જન્મ એક પછી એક જણાવા માંડશે અને શુભાશુભ કર્મો દેખાશે. લબ્ધિઓનું જ્ઞાન :
પ્રભુને ત્રણ પ્રદક્ષિણા દઈ અચિ નામના ઋષિએ પૂછ્યું કે, “પ્રભો ! અન્ય મનુષ્યએ જે જે વિચાર કર્યા હોય છે અને કરે છે તેનું જ્ઞાન શાથી થાય?”
પ્રભુએ કહ્યું કે, “અચિ ઋષિ! અન્ય લોકોના મનના વિચારો જેણે જાણવા હોય તેઓએ પ્રથમ પિતાના મનને શુભાશુભ પરિણામથી મુક્ત કરવું. પશ્ચાત્ નિઃસંગ અપ્રમત્ત મન કરી મનમાં ત્રણ કલાક પર્યત નિર્વિકલ્પ સંયમ કરો. ત્રણ કલાક પર્યત નિર્વિકલ્પ સંયમ સિદ્ધ થયા બાદ જેના મનના વિચારે જાણવા હોય તેના મનમાં પોતાનું મન ઉતારી એક, બે કે ત્રણ કલાક સ્થિર થવાથી અન્યના મનમાં પ્રગટેલા સર્વ વિચારો જણાશે. અનેક ભવમાં કરેલા વિચારોને તેમ કરવાથી જાણી શકાશે. મરેલા મનુષ્યના મનદ્રવ્યમાં સંયમ કરી તેઓના ભો અને તેના વિચારો જાણી શકાય છે.
“મનની વિશુદ્ધિ કરવાથી અવધિજ્ઞાન પ્રગટે છે. મનમાંથી સર્વ પ્રકારની કપાયેલી શુભાશુભ લાગણીઓ ટળી જાય છે. ત્યારે આત્મામાં રહેલું કેવલજ્ઞાન પ્રગટે છે. આત્મા પોતે પરમાત્મા બની સર્વ વિશ્વને જ્ઞાતા બને છે. હે કૌશિક ઋષિ ! મારી ભક્તિથી એક ક્ષણમાં અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવલજ્ઞાન પ્રગટે છે. મારામાં જેને પૂર્ણ પ્રેમ છે અને તેથી જે સર્વ વિશ્વને ભૂલી જાય છે તે વિશ્વનાજીનાં મનને જાણી શકે છે. હદયની શુદ્ધિ કરે. લઘુ બાલકની પેઠે નિર્દોષ જીવન ગાળે.
For Private And Personal Use Only