SearchBrowseAboutContactDonate
Page Preview
Page 490
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૪૮ અધ્યાત્મ મહાવીર છે. મનનુ આત્માની પાસે સ્થિર થવુ અને રાગદ્વેષના વિકલ્પસંકલ્પરહિત થવુ' તે અઘ્યાત્મ ઉપનિષદ છે અને એવા પ્રકારને મેધ આપતું શાસ્ત્ર તે શબ્દોપનિષદ છે. આત્માની સત્ય જ્ઞાનની સ્ફુરણાને સાંભળવી તે શ્રુતિ છે અને શુદ્ધાત્મજ્ઞાન તે શરીરમાં રહેલ જીવતે જ્ઞાનવેદ છે અને એવી દશા પમાડનારાં મારાં હિતવચને તે શાસ્ત્રવેદો છે. પૂના તીથ કરે, મુનિએનાં ચરિતા પુરાણ, એ ઇતિહાસ છે. સવ તી કરેના ઉપદેશ તે તે કાળમાં શાસ્ત્રવેદો હતા અને ઇતિહાસ તે પુરાણે હતા. અધ્યાત્મદૃષ્ટિએ શરીરમાં રહેલ આત્મા તે જ પરપ્રા મહાવીર છે અને તેના મુખ્ય ગુણુા તે ઇન્દ્રો, નવગ્રહ, દશ દિક્પાલ, રુદ્ર, વસુ, આદિત્ય, પ્રજાપતિરૂપ છે અને આત્માની શુભ શક્તિએ તે દેવીએ છે. શુભ માનસિક વિચારે તે આધ્યાત્મિક મનુષ્યા છે. અને શુભ માસિક વૃત્તિએ તે માનુષી સ્રીએ છે. આત્માના પ્રકાશથી સર્વ વિશ્વ પ્રકાશે છે, માટે આત્માને જાણે, શરીરની માંહ્ય ચૌદ્ર વિભાગેામાં અધ્યાત્મષ્ટિએ ચૌદ રાજલકની કલ્પના જાણે અને તેની મહાર સર્વાકાશમાં અલેાકાકાશની અપેક્ષાએ ઔપચારિક સ્થાપના કરીને દેહષ્ટિ દ્વારા લેાકાલે!કને અનુભવ કરે!. મનની મનન દશા સુધી આવવાથી આત્મા મનુષ્ય થાય છે અને મનની પેલી પાર અનંત આત્મા પાતે પાતાને અનુભવે છે ત્યારે તે મનેમહાવીર મટીને આત્મમહાવીર થાય છે. મનેામહાવીર મનતાં સુધી પ્રકૃતિ સહચારિણી તરીકે સાથે કાંય કરે છે અને આત્મમહાવીર પ્રભુ બન્યા પછી પ્રકૃતિ પૈાતે તાબેદાર બની, આત્માના હુકમને અનુસરી ક્રાય કરે છે, પશ્ચાત્ ૫રમાં જે કંઈ ભાસે છે તે સત્ય જ ભાસે છે. પછીથી અસત્યનુ મિશ્રણ થઈ શકતું નથી. ત્યાગીએ આત્મમહાવી। બનવાને પુરુષાથ કરે છે. તેએ આત્માને સાક્ષીરૂપ બનાવીને પ્રવર્તે છે. તેથી તેઓ પુણ્યપાપ કર્માંથી નિલેપ રહે છે. For Private And Personal Use Only
SR No.008600
Book TitleKalpanik Adhyatma Mahavira Part 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1969
Total Pages559
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy