________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ, સહાવીર લેભ ન પામે. મારી પાછળ ભક્તિ, જ્ઞાન, ઉપાસના, કર્મચાગી બની ચાલ્યા આવો. મારા માર્ગમાં ચાલનારા અનેક આત્માઓ છે. કેઈ કેઈનાથી આગળ છે અને કેઈ કેઈમાથી પાછળ છે. તેઓની ટીકા કે ચર્ચા કરવાને તમારો અધિકાર નથી. તમે તમારી તરફનું લક્ષ રાખી આગળ ચાલતા આવે.
મારી પાછળ આવવામાં તમે જે જે દેહાદિ જડ વસ્તુઓમાં અહંવ-મમત્વ માન્યું હોય અને દેહજીવનને જીવન માન્યું હોય તે ભૂલી જાઓ, તેની મૂછ ઉતારે. મારી પાછળ આવતાં મારા વિના અન્ય કોઈ પર દષ્ટિ ન નાંખો. મારી પાછળ આવવામાં મારા વિના અન્ય કશામાં ચિત્ત ન રાખે અને શુદ્ધાત્મસ્વરૂપ વિના અન્ય સ્વરૂપને ન દેખે. સર્વત્ર બાહ્ય-આંતર જ્યાં જ્યાં તમારી વૃત્તિ કે દષ્ટિ જાય ત્યાં ત્યાં શુદ્ધાત્મસ્વરૂપને જ ફક્ત દેખે. બાકી બીજું બધું ભૂલી જાએ.
મારી તરફ આવવા માટે પૂર્ણ ઉત્સાહી બને અને સર્વ જડભાવમાં નિઃસંગ બને. સર્વ પદ્ગલિક અનંત તિઓની પેલી પાર જે ચિદાનંદતિ છે તે જ મારી અને તમારી જાતિ છે. તે જ મારું અને તમારું એક અને અભિન્ન પરમસ્વરૂપ છે, એમ પૂર્ણ નિશ્ચય કરી તે તરફ આવો અને તેમાં સર્વ વૃત્તિઓને લય કરે. જે જ્ઞાનમાં સર્વ ની સુષ્ટિ પરિણામે પરિણમે છે તેનું કારણ પૂર્ણ જ્ઞાન છે. તેમાં તમે લીન થાઓ. તે સર્વ જ્ઞાનસૃષ્ટિનું અસાધારણ કારણ છે.
જેમાં વિશેષતઃ રતિ કરવા લાયક નથી એવા વિષચેના રાગથી દૂર રહો. મારી તરફ આવવાના અસંખ્ય નાનામોટા માર્ગો છે. તેમાં સ્વાધિકાર અને ભવિતવ્યતાએ વહેતાં એકબીજાના માર્ગનું ખંડન ન કરે. તમે જે માર્ગેથી મારી તરફ આવે છે તેના કરતાં અન્ય અસંખ્ય માર્ગોથી આત્માએ મારી તરફ આવે છે.
અસંખ્ય માર્ગોથી મારી તરફ અવાય છે. એકેક માર્ગથી
For Private And Personal Use Only