________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
૨૨૬
અધ્યાત્મ મહાવીર ઉત્તરોત્તર ગુણસ્થાનકવતી અને ગુણસ્થાનકાતીત મહાવીર બને. સર્વ પ્રકારના મૃત્યુ સંબંધી ભાને ત્યાગ કરી નિર્ભય મહાવીર થાઓ. આકાશની પેઠે નિસંગ મહાવીર થાઓ. પ્રવીની પેઠે સર્વ સહનારા મહાવીર થાઓ. અગ્નિની પેઠે સર્વ મહાદિ કર્મને બાળનારા જ્ઞાનાગ્નિ મહાવીર થાઓ. વાયુની પેઠે સર્વત્ર અપ્રતિબદ્ધ મહાવીર થાઓ. જળની પેઠે તૃષ્ણદાહનાશક મહાવીર થાઓ.
યાતા, દયેય અને ધ્યાનની એકતારૂપ ગી–મહાવીર થાઓ. પરાશ્રય અને પરતંત્રતા દૂર કરીને સ્વતંત્ર અને સ્વાશ્રયી મહા -વીર થાઓ. જેમ મલ્ય સમુદ્રમાં સર્વત્ર સંચરે છે પણ તે જળથી અપ્રતિહત રહે છે, તેમ સર્વ વિષયમાં પ્રારબ્ધ ભેગાવલી કર્મથી મન-બુદ્ધિથી ફરવા છતાં અંતરથી અપ્રતિહત અવ્યાબાધ શક્તિવાળા વિર થાઓ. નિષ્કર્મ કર્મયોગી મહાવીર બને. દાન, શિયલ, તપ, ભાવથી ઉત્તરોત્તર વિશુદ્ધ વીર થાઓ.
આત્મા તે વીર છે. તે શુદ્ધ બની પરમાત્મમહાવીર થાય છે.
આત્મા તે જ મહાવીર છે. તે નર નથી, નારી નથી અને નપુંસક નથી. તે જ હું છું અને તે જ તમે આત્માઓ છે. આત્મમહાવીર વણે ગંધ, રસ, સ્પર્શ, શબ્દરહિત છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વિશ્ય, શુદ્ર, મ્લેચછાદિ જાતિથી આત્મા ભિન્ન છે. આત્મા મહાવીર હસ્વ નથી, દીર્ઘ નથી, હલકે નથી, ભારે નથી, દશ્ય જડ નથી, ક્ષણિક વિનાશી નથી.
બ્રહ્મવીર શિવરૂપ, આનંદરૂપ અને જ્ઞાનરૂપ છે. સત્તાએ તે એક છે અને દ્રવ્યથી અનંત આત્મવીર છે. પર્યાયદષ્ટિએ તે અનંત ગુણ–પર્યાયરૂપ છે, અજ છે. અનાદિ, અનંત, અખંડ, અવિનાશી, અવિભાજ્ય, નિરાકાર, અરૂ૫, અનંત તિરૂપ મહાવીર હું છું અને તમે પણ સત્તાએ તે સ્વરૂપે છે.
મધ્યમા કે વિખરીથી મારું સ્વરૂપ વર્ણવી શકાય તેમ નથી.
For Private And Personal Use Only