SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કાલ્પનિક અધ્યાત્મ હાવીર ૨૧ પહેલા બીજા ભાગમાં ભગવાન મહાવીર સ્વામીએ દીક્ષા લીધા પહેલાં ગૃહસ્થાશ્રમમાં જ પિતાના સહવાસમાં આવેલાં ભાઈ નંદિવર્ધન, પત્ની યશદા, પુત્રી પ્રિયદર્શન, માતા ત્રિશલા, મંત્રી, સૈનિક, સાધુ-સંન્યાસી વગેરેને ઉદ્દેશીને ધર્મશિક્ષા, હિતશિક્ષા, અને કર્તવ્યધર્મની શિક્ષા આપેલી છે. જીવનના કોઈ પણ કર્તવ્યધર્મની ચર્ચા શેષ રહેવા દીધી નથી. જીવનમાં આંટીઘૂંટીઓ, આચારભ્રષ્ટતા, સદાચારશિથિલતા જ્યારે ડોકિયાં કરે તે સમયે પ્રસ્તુત ગ્રન્થ સૌને માટે વધારે ઉપગી નીવડશે. અવધૂત દશાને પ્રાપ્ત થયેલા શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજીને આ ગ્રંથ બ્રહ્મનિસ્વરૂપ બની ગયો છે, જે ઘણાંઓને પવિત્ર બનાવશે, ભૂલેલ ને માર્ગ બતલાવશે અને માનવતાને વિકાસ સધાવશે. આ અમૂલ્ય ગ્રન્થ પિતે જ પિતાને પરિચય દેવા સમર્થ છે. માત્ર પૂર્વગ્રહરહિત થઈ, જિજ્ઞાસાબુદ્ધિથી અને ઠંડા દિમાગથી વાંચી જવાની ભલામણ છે. હદય જે વિશાળ હોય અને તત્ત્વગ્રાહિણી બુદ્ધિ હોય તો સાધકને ક્યાંય વાંધો આવે એમ નથી. ગ્રન્થકર્તા આચાર્ય ભગવંત મહાત્ જ્ઞાની છે. સંસ્કૃતપ્રાકૃતના અપૂર્વ જ્ઞાતા છે. આગમજ્ઞાનના ઊંડા અભ્યાસી છે. નૈષ્ઠિક બ્રહ્મચર્ય પાળીને યોગના માર્મિક સ્થાન સુધી પહોંચેલા ગી છે. આવા જ્ઞાની પુરુષનું દિલ મહા દયાળુ હોય છે, અને તેથી જ તેઓએ પોતાના જીવનના અંતિમ અને અમૂલ્ય સમયમાં આ ગ્રન્થને નિર્માણ કર્યો છે. સૌ કોઈને ગ્રન્થ વાંચ્યા પછી જ અનુભવ થશે કે પદ્ધતિ ભલે અદશ્યપૂર્વ હોય, તો પણ જ્ઞાનનો સાગર છે અને આજના જમાનાને વધારે બંધબેસતો છે. બાકી તો પૂર્વગ્રહમાં ફસાયેલાઓને એટલું જ કહીએ કે, અ-૨ For Private And Personal Use Only
SR No.008600
Book TitleKalpanik Adhyatma Mahavira Part 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1969
Total Pages559
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy