________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૩
સર્વસામાન્ય બેધ ટેવ જીતનાર અરિહંત બને છે. આત્મા પર જે ખરાબ ટેવ જય મેળવે તો આત્મા જ નરક-નારકી બને છે, પરંતુ જે ખરાબ ટે પર આત્મા જય મેળવે છે તે આત્મા સ્વર્ગ અને મુક્તિ છે. અશુભ કામવાસનાઓને પરિહરે. પિતાના બળ પર વિશ્વાસ રાખીને પિતે જ સ્વર્ગ રે. સ્વાશ્રયી બન્યા વિના કેઈ સિદ્ધ થતો નથી. સ્વાશ્રયી બન્યા વિના પરતંત્રતા અને ગુલામગીરીને નાશ થતો નથી.
ગરીબ પ્રાણીને સતાવો નહીં. ગરીબની હાય લેશે નહીં. કેઈના પર અનીતિથી જુલ્મ ગુજારે નહીં. જેવું બીજાઓ પ્રતિ કરશે તેવું ફળ પામશે. બીજા ના નાશમાં તમારા પ્રાણાદિકને નાશ છે. ધન, સત્તા અને શક્તિઓ વડે જે પિતાનું ભલું કરવું હોય તે ધન, સત્તા, શક્તિ, વિદ્યા વગેરેને પરમાર્થમાં વ્યય કરે. જેવું તમારા પ્રતિ તમે ચાહે છે તેવું બીજા જીવો પ્રતિ આચરે. તમારા હિતમાં અન્યનું હિત જુએ. તમારી પ્રભુતામાં અન્યછોની પ્રભુતા જુએ. સર્વ વિશ્વની શાંતિમાં તમારી શાંતિ જુઓ. વિશ્વવ્યાપક સર્વ ઉપકારોમાં તમે પ્રભુતા દેખે અને તેમાં પ્રવૃત્તિ કરી નીચતાનો નાશ કરે.
રાજાઓ! તમે પ્રજાના સેવકો છે. પ્રજાની સર્વ પ્રકારે ઉન્નતિ કરવી તે માટે પ્રજાસંઘના ઉપરી છે. તમારા સ્વાર્થી માટે પ્રજાજનોને ન પડે. પ્રજાની સેવા સારી રીતે કરવાની જોખમદારી સમજે અને તે પ્રમાણે વર્તવાની શક્તિ હોય તે રાજા કે પ્રમુખ તરીકે કાર્ય કરે અન્યથા પ્રજાસંઘ પાસે રજા માગો. જેમાં મોટી સત્તા, શક્તિ, લક્ષમી, નેતૃત્વ મળે છે તેમ જોખમદારી પણ વધે છે. અનીતિ, અન્યાય, જુલ્મ, પક્ષપાત વગેરેના તાબે થઈને પાપના ભાગી ન બને.
રાજાઓ, સેનાપતિઓ, પ્રધાને, શ્રેષ્ઠિર્યો! તમારી સત્તા, લક્ષમી, બુદ્ધિ, વિદ્યા, લાગવગને દુરુપયેાગ ન કરે. મારી આજ્ઞાથી. વિરુદ્ધ વર્તશે તે તેનું દુઃખરૂપ ફળ આ ભવમાં અને પરભવમાં
For Private And Personal Use Only