________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬. લોકાંતિક દે અને ઋષિઓનું આગમન લોકાંતિક દેવોએ કરેલી વિનંતિઃ
લેકાંતિક દેવે પરબ્રહ્મમહાવીર પ્રભો! આપને નમીએ છીએ, પૂજીએ છીએ. અમે સ્વર્ગમાંથી આપને વિશ્વોદ્ધારની વિનંતિ કરવા આવ્યા છીએ. અમારી સાથે હિમાલયેત્તરદેશમાંથી મેત્રેય, વ્યાસ, વ્યાડિ, દેવલ, અસિત, ભૃગુ, અંગિરા, વામદેવ, વિશ્વામિત્ર, દુર્વાસા, ભારદ્વાજ, અત્રિ, પિપ્પલાદ વગેરે અનેક ઋષિઓ આવ્યા છે.
આપ એક પરબ્રહ્મ મહાવીર શુદ્ધાત્મા સત્ય પરમતિરૂપ છે. નિરાકાર પરમ તિરૂપ આપ એક સત્ય છે, બીજું કાંઈ સત્ય નથી. આત્મા કે ચતન્ય વિના સર્વ જડ વસ્તુઓ અસત્ છે. આત્માની અપેક્ષાએ આપ સત્ય છે અને જડ જગત અસત્ છે. આપના પ્રેમ વિનાને જડજગતને પ્રેમ અસત્ય તે નથી, પરંતુ આવો પ્રેમ આત્મહિતકર નથી.
પ્રભુ પરમેશ્વર મહાવીર દેવ! આપ હવે સર્વ લોકોને સત્ય ત્યાગનું સ્વરૂપ શીખવે. પ્રત્યે ! આપની ત્યાગદીક્ષાને વખત હવે પાસે આવ્યો છે. એક વર્ષ પૂર્વે આપની આગળ અમે વિજ્ઞપ્તિ કરવા આવ્યા હતા. એક કોટિ અને સાઠલાખ સુવર્ણ મહેરોનું આપ દરરોજ ગરીબ યાચકને દાન દે છે. હવે વાર્ષિક દાન પણ પૂર્ણ થવા આવ્યું છે.
For Private And Personal Use Only