________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૨
અધ્યાત્મ મહાવીર રૂપ મને સત્તાએ અનુભવો. સર્વસંઘરૂપ મહાવીર એ જ હું સાપેક્ષદૃષ્ટિથી વિરાટ પ્રભુ છું, એમ જાણી અને સર્વમાં આત્મસત્તાએ મને એક જાણી તમો કોઈની સાથે કુસંપથી ન વર્તો. પણ કર્તવ્ય કાર્યો કરવા છતાં બધાંની સાથે સંપથી વર્તે. પૃથ્વીનાં સર્વ મનુષ્ય, પશુઓ, પંખીઓ વગેરે આત્મમહાવીરસત્તાએ જેને છે તથા તે હું છું એમ જાણે સર્વે હળીમળીને રહે. પરસ્પર પ્રેમથી રમે. સૌ એકબીજામાં વિશ્વાસ રાખે. સંપ જેના હૃદયમાં પ્રગટે છે ત્યાં તે સ્વર્ગ પ્રગટાવે છે અને તેની આજુબાજુમાં સ્વર્ગ બને છે. કુસંપ જ્યાં પ્રગટે છે ત્યાં સ્મશાન પ્રગટે છે.
પૃથ્વીના સર્વ મનુષ્ય જૈનો છે અને તેઓ પિતાના આત્માને જિનવીર દેખે છે ત્યારે તેઓ કુસંપને જીતી વિશ્વમાં મન, વાણી, કાયાથી જેનો બને છે અને છેવટે તે મારા જેવા બને છે. આગેવાને :
દેશ, સમાજ, સંઘ, રાજ્ય, ધર્મના આગેવાનો જે જ્ઞાની, સદ્ગુણી અને કર્મયોગી હોય છે તે તે સંપ રાખવા અને મારા ધર્મનો પ્રચાર કરવા શક્તિમાન થાય છે. મારી પાછળ દેશ, રાજ્ય, સંઘાદિકના આગેવાનો જ્ઞાની, ભક્ત, કર્મચાગીએ થશે તે તેઓ વિશ્વ, ખંડ, દેશ, પ્રજા, સંઘ, ધર્મની સર્વ રીતે ઉન્નતિ કરી શકશે અને સંપનું વિચારવાતાવરણ દઢ કરી શકશે. દીર્ઘદૃષ્ટિવાળા આગેવાને ધર્મ દ્વારા વર્તમાન અને ભવિષ્યની ઉન્નતિ કરે છે અને કરી શકશે. સર્વદેશીય આગેવાનો મારી પાછળ વ્યાવહારિક તથા ધાર્મિક પ્રવૃત્તિઓમાં થતા મતભેદોને દૂર કરી શકશે.
ભવિષ્યમાં મારી પાછળ જે મારા ઉપદેશોને દેશકાલાનુસારે સમજી શકશે એવા ધર્મ પ્રવર્તક આચાર્યો અને સાધુઓને જે જૈનો મારી પેઠે ભક્તિસેવાથી સેવશે તેઓને મારા સત્ય જૈનો જાણવા. મારી પાછળ જે ધર્ણોદ્ધારક મહામાએ પ્રગટશે તેઓ સર્વ
For Private And Personal Use Only