________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१४८
અધ્યાત્મ મહાવીર પિતાની રુચિ મુજબ અન્ય મનુષ્યો તેઓની ઈચ્છા ન હોવા છતાં આચાર પાળે એવું ઈચ્છવું અને તે પ્રમાણે પ્રવૃત્તિ કરાવવી તે. અધર્માચાર છે.
જેને જેમાં રસ પડે, આનંદ પ્રગટે અને પ્રેમથી જે પસંદ આવે તેવા આચાર પાળવા મનુષ્યમાત્ર બંધાયેલ છે અને તેથી તે આત્મધર્મરૂપ જૈનધર્મની ઉત્તરોત્તર ઉત્તમ દશાને પ્રાપ્ત કરે છે. બીજાઓના તેમના અધિકાર પ્રમાણે જે જે આચાર હાય તેમાં દોઢડાહ્યા થઈ માથું ન મારવું એ જ જૈનનું મુખ્ય કર્તવ્ય છે. જ્યાંથી જેને ઉન્નતિક્રમ અધૂર હોય ત્યાંથી મનુષ્ય પોતાની ઈચ્છા પ્રમાણે કે બુદ્ધિ જે પ્રમાણમાં ખીલી હોય છે તે પ્રમાણમાં પ્રવૃત્તિ કરે છે. માટે કોઈપણ મનુષ્યને પિતાની ઈચ્છા પ્રમાણે ચલાવીને ધાર્મિક વિચારાચારમાં ગુલામ ન બનાવવા જોઈએ.
મનુષ્ય પોતાની મેળે પિતાને અનુકૂળ વિચારાચારરૂપ ધર્મ પારખી લે છે અને તે પ્રમાણે વર્તે છે. તે દેશે કરે છે, પછી પિતાની ભૂલે દેખે છે અને એમ અનુભવ પામીને આજ વધે છે. મનુષ્યો ! જૈનધર્મ અનંત અભેદરૂપ છે. પ્રેમની ઉત્તરોત્તર વિશુદ્ધતા એ જ ધર્મની ઉત્તરોત્તર વિશુદ્ધતા છે અને તેથી મનુષ્ય દેવ બને છે.
દુનિયામાં જે જે વિદ્યમાન ધર્મો અને દર્શને છે તે જૈનધર્મના જ્ઞાનમાં અને શુભ પ્રવૃત્તિમાં સમાઈ જાય છે. જૈન ધર્મમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની અપેક્ષાએ સર્વ ધર્મો રહ્યા છે. સર્વ મત અને પંથના ભેદે માં જે અભેદ જ્ઞાનાનંદરૂપ આત્મતત્વ રહ્યું છે તથા ભિન્ન ભિન્ન મત, પંથ, ધર્મ માનનારાઓમાં જે જે આત્માઓ જ્ઞાનાનંદરૂપ છે તેઓને તેવા રૂપે માનવા અને તે તે ધર્મો કે પંથમાં અને તે તે ધમ એમાં આત્માની અભેદતાએ અભેદરૂપ થઈ જવું તે જ અભેદ અનંત જૈનધર્મનું અનંત દષ્ટિનું લક્ષ્યબિંદુ છે. માટે મનુષ્યો ! જીવતા સર્વ મનુષ્ય, પશુઓ અને પંખીઓને અપેક્ષાએ જેનધમી માનો. તેઓને અંશે અંશે મારા ભક્ત અને મારા
For Private And Personal Use Only