________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીક્ષા મહોત્સવની તૈયારી અને ધર્મોપદેશ
પ્રેમરૂપ પ્રાણથી આત્મા અલૌકિક સુખી બને છે. કુટુંબ યર પ્રેમ ધારણ કરે. ઘરમાં સર્વની સાથે પ્રેમ ધારે. દેશ, જ્ઞાતિ, સમાજ, સંઘ પર પ્રેમ ધારણ કરે. પુત્ર, પુત્રી પર પ્રેમ ધારણ કરો. પત્ની પર પ્રેમ ધારણ કરે. પતિ પર પ્રેમ ધારે અને કામવાસનાને કાબૂમાં રાખી આત્મશક્તિ ખીલ. સત્ય શુદ્ધ પ્રેમ વિના અનેક દુષ્ટ દુનો નાશ થતો નથી. પ્રેમ વિનાના મનુષ્ય રાણ, કૂર અને સ્વાથ, અપ્રમાણિક અને અનુપકારક છે. પ્રેમમાં પ્રભુતા, સુંદરતા અને એકતા છે. પ્રેમાત્માઓ સ્થૂલ શરીર, ધન વગેરેને ભોગ આપતાં જરામાત્ર અચકાતા નથી અને મૃત્યુથી અંશમાત્ર ભય પામ્યા વિના સર્વ પ્રકારનાં કાર્યો કરે છે. પ્રેમી મનુષ્ય કામવાસનાને જીતે છે અને મારા સ્વરૂપને પામે છે. સર્વ જીવો સત્તાએ પરમાત્મા છે. તેઓ જે જે સ્થિતિમાં છે ત્યાં પ્રભુતાથી ભરેલા છે. તેમનામાં પ્રભુતા છે. સુંદરતા છે. અને તેઓ સારી સત્તાથી એક છે.
સર્વ વિશ્વમાં મારી એક સત્તાનો જેઓ અનુભવ કરે છે તેઓ ભેદભાવને નાશ કરીને એકાત્મભાવથી વર્તે છે અને તેથી તેઓ ભેદભાવકારક મહાદિ કમેને નાશ કરી પ્રભુમય જીવન પ્રગટાવે છે. સર્વ વિશ્વમાં પ્રભુતા દેખવાથી નીચતાને નાશ થાય છે અને તેથી પિતાનામાં રહેલી પ્રભુતાને વીજળીવેગે પ્રકાશ થવા માંડે છે. સર્વમાં પ્રભુતા દેખનાર ગુલામી, પરતંત્રતા આદિને નાશ કરે છે અને જડ-ચેતનનું વાસ્તવિક સૌન્દર્ય દેખી શકે છે. તેથી તે દે શુંણથી મુક્ત બને છે. તેના હૃદયચક્ષુમાંથી દેષના વિકારે ટળી જાય છે અને તે કેવલજ્ઞાની બને છે.
મારું સૌન્દર્ય દેખનાર મહ અને કામના વિકાસને ક્ષય કરે છે અને સર્વમાં “બ્રહ્મસૌન્દર્ય એ જ મારું સૌન્દર્ય છે અને એ જ દેખનારનું સૌન્દર્ય છે” એમ નિશ્ચય થયા પછી તે અહીં
For Private And Personal Use Only