________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ મહાવીર આપને જેઓ અષ્ટાદશ દોષાતીતરૂપે ભજે છે તેઓને આપ તેવા ભાવે પ્રાપ્ત થાઓ છો. આપને જે પ્રકૃતિરૂપ માનીને ભજે છે તેઓને આપ તેવા રૂપે મળે છે. આપને જેઓ ગુણો અને દેની વૃત્તિરહિત થઈને ભજે છે, તેઓને તેવા રૂપથી આપ મળે છો. આપનામાં અને આપના વિશ્વરૂપ વિરાટમાં જેઓ ગુણદેષની કલ્પના કરતા નથ અને સત્ય-પ્રેમ-જ્ઞાનાદિરૂપ આપને માનીને તેવારૂપે આપને જેઓ ભજે છે તેઓ તેવા રૂપે આપને પામે છે અને આપ તેવા રૂપે તેઓને મળે છે. આપમાં જેઓ શુભાશુભ જડ-ચેતન વિશ્વરૂપ કલ્પના કરે છે તેઓ શુભાશુભ વૃત્તિપ્રવૃત્તિથી પિતાને શુભાશુભ પરિણમે પરિણમિત દેખે છે અને તેઓને આપ શુભાશુભ પરિણતિની અંદર પરિણમેલા દેખાઓ છો. જેઓ ભય પામે છે તેઓને ભયરૂપે મળો છો અને નિર્ભય, અદ્વેષ, અખેદભાવે સ્વાત્મવીરને ભજનારાને આપ તેવા રૂપે પરિણમતા દેખાઓ છો. આપને જેઓ શૂન્યરૂપે દેખે છે, ભજે છે તેઓને આપ શૂન્યભાવે મળો છો. આપને જેઓ જ્યાંત્યાં આનંદરૂપે પરિણમ્યારૂપ ભજે છે તેઓને આપ રસરૂપે મળે છે. આપને જેઓ ગૃહસ્થ પુરુષોત્તમ તરીકે ભજે છે તેઓને આપ તેવા ભાવે પ્રાપ્ત થાઓ છો અને આપને જેઓ મહાત્યાગી તરીકે ભજે છે તેઓ તેવા રૂપે આપના સ્વરૂપને પામે છે.
જેની જેવી દષ્ટિ, ભાવના, રુચિ, પરિણામ, ઉપયોગ, દયાન તેને તેવી દષ્ટિ, ભાવના, રુચિ, પરિણામ, ઉપયોગ, ધ્યાનમાં આપ પરિણમે છે. ચતુર્વિધ સંઘ જેવા જેવા ભાવથી આપને ભજે છે, સેવે છે તેવા તેવા આપસ્વરૂપે ચતુર્વિધ સંઘ થાય છે અને થશે. આપના પર જેએની પૂર્ણ પ્રીતિ-શ્રદ્ધા છે તેઓ પ્રતિદિન આપનું અભિનવ સ્વરૂપ અનુભવતા જાય છે. તેઓને આપના સ્વરૂપને થનારાં શાસ્ત્રોની કે પુરાણ-અર્વાચીન ચર્ચાની જરૂર રહેતી નથી, કારણ કે આપ તે તે કાળે ભક્ત જ્ઞાનીઓનાં હૃદમાં અભિનવ જ્ઞાન–ય પર્યારો વડે પરિણમીને તેઓને નવનવા ભાવે પ્રાપ્ત
For Private And Personal Use Only