________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪. સત્યરૂપી સૂક્ત સત્યરૂપ : પરબ્રહ્મ મહાવીર ભગવાન ! આપને નમું છું, વજું છું, પૂજું છું, સ્તવું છું.
આપ પ્રભુએ અહિંસાનું સ્વરૂપ વર્ણવ્યું એથી મને પરમ સંતોષ થયો છે. આપે અહિંસા અને હિંસાનું અનેક દૃષ્ટિએ સ્વરૂપ દર્શાવ્યું એ પ્રમાણે જેઓ યથાર્થ સમજે છે તેઓ આપના સ્વરૂપભૂત તથા પ્રકૃતિરૂપ જૈનધર્મની આરાધનારૂપ આપની સર્વથા પ્રકારની ભક્તિ કરી શકે છે. આપની આજ્ઞા પ્રમાણે જે મનુષ્ય સ્વાધિકારે વર્તે છે તેઓ અહિંસાભાવની વૃદ્ધિ કરી શકે છે. પ્રતિજ્ઞાઘાત, વિશ્વાસઘાત, મિત્ર દેશ કે ગુરુ આદિના દ્રોહાદિથી જેટલી હિંસા થાય છે એટલી અન્યથી થતી નથી.
પુરુષ પોતાની સ્ત્રીને વિશ્વાસઘાત કરીને હિંસા કરે છે અને સ્ત્રી પોતાના પતિને વિશ્વાસઘાત અને દ્રોહ કરીને હિંસા કરે છે. અસત્ય, ચેરી, વ્યભિચાર આદિ દુષ્ટ કર્મોથી દેશ, કેમ, સમાજ, સંઘ, રાજ્યાદિકની હિંસા થાય છે. કોઈને મને પ્રકાશવાથી હિંસા થાય છે. કેઈન પર આળ કે કલંક ચઢાવવાથી હિંસા થાય છે. જે કુટુંબમાં, ઘરમાં, જ્ઞાતિમાં, કેમમાં, સમાજમાં, સંઘમાં, દેશમાં, રાજ્યમાં કલેશ, ભેદ, વૈર, ઈર્ષા, ફાટફૂટ, તુચ્છતા, નીચતા, દંભ, વિરોધ, મારામારી, દુષ્ટ શબ્દાલાપ-વિલાપ, અજ્ઞાન, દ્વેષ, કુસંપ, વ્યભિચાર, અન્યાય, અતિલોભ, અતિમાન, વિશ્વાસઘાત, દ્રોહ આદિ હિંસાતત્વ ભરેલું છે ત્યાં શાંતિ, આનંદ, હર્ષ, પ્રેમ, ઐક્ય, બળ, શક્તિ, જ્ઞાન, ભક્તિ આદિ અનેક સદ્ગુણોના સમૂહરૂપ
For Private And Personal Use Only