________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરગામહાવીસૂક્ત
પ01ર
- “મારા ભક્ત ત્યાગી ગૃહસ્થ જૈનોને પાપ લાગતાં નથી. દેષીઓની અને અજ્ઞાનીઓની દષ્ટિમાં ભલે જૈનોનાં પાપ દેખાય, પરંતુ વસ્તુતઃ તેઓ આજીવિકાદિ પ્રવૃત્તિઓ કરવા છતાં પાપથી લેપાતા નથી. મારી ભક્તિ એ સર્વ કાળમાં નીતિ છે. તે પાળવા છતાં તત્કાલીન નીતિઓમાં કદાચ અનીતિવાળા જણાય, તે પણ તેઓ મારી આજ્ઞા મુજબ નિલેપ અને પુણ્યવંત રહે છે. કલિયુગમાં સર્વ પ્રકારના મારા આશયે નહિ સમજનારા અલ્પજ્ઞ, રૂઢિબદ્ધ અને અશક્ત એવા કેટલાક જૈનો મારા જૈનધર્મના ઉદાર વિચાર અને તેની પ્રવૃત્તિઓને તથા સમાજ અને સંધની કલ્યાણકારી પ્રવૃત્તિઓ વગેરેમાં ભાગ લેનાર ગૃહસ્થો અને ત્યાગીઓને અ૫ દેષ અને મહાધર્મ કરનારા તરીકે નહિ દેખી શકવાથી, તેઓની નિંદા કરી પિતાના પગ પર કુહાડો મારનારની પેઠે પિતે જૈન હેવા છતાં જૈનેને નાશ કરવા પ્રયત્ન કરશે. તેઓ કલિયુગમાં સત્યયુગના જેવી ઉત્કૃષ્ટ કિયાદિ કરવામાં સર્વને દેરવાને મૂઢ પ્રયત્ન કરવાથી મારી ભક્તિમાં આગળ ચઢી શકશે નહિ. તેમના આવા વિચાર દેશ, રાજ્ય, સંઘ અને તેમની સેવા કરનારા જૈનો સ્વીકારશે નહિ. કલિયુગમાં કલિયુગાનુસાર ગુણ-કર્મપ્રધાન જૈનો જ સ્વ–અસ્તિત્વ સંરક્ષવા શક્તિમાન થશે. કલિયુગમાં ભક્તિપ્રધાન જૈનધમીએ પ્રગટશે અને તેઓ મારા પર પૂર્ણ શ્રદ્ધા અને પૂર્ણ પ્રેમ ધારણ કરીને તરશે. તેઓ સિંહના જેવા પરાક્રમી બનીને સ્વ-અસ્તિત્વ રક્ષવા શક્તિમાન થશે.
સર્વ શક્તિઓનું સ્થાન આત્મા છે. આત્મા એ જ ઈશ્વર, અરિહંત, સિદ્ધ, બુદ્ધ, વિષ્ણુ, રુદ્ર, સૂરિ છે. આત્મા એ જ હું મહાવીર છું. શુદ્ધાત્મશક્તમહાવીરરૂપ મારી આઠ કર્મ, પાંચ શરીર, પાંચ પ્રાણ, ભાવકર્મ, મન વગેરે પર તથા જડ વિશ્વ પર સત્તા ચાલે છે. તેમને કર્તા-હર્તા હું છું એમ જેઓ જાણે છે અને જેઓ મારા અભેદજ્ઞાનથી પિતાને વાત્મવીર અનુભવી પિતાને
For Private And Personal Use Only