SearchBrowseAboutContactDonate
Page Preview
Page 525
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૮૪ અધ્યાત્મ મહાવીર મારે ધર્મ–આચાર જાતિએ એકરૂપ છે. મારામાં જે જૈનધર્મ છે તે તેએામાં છે. સર્વ જીવે સત્તાએ જેને છે અને તેઓ તમોગુણી, રજોગુણી, સત્ત્વગુણ સબલ બ્રહ્મને આનંદરસ ભેગવવા છતાં તથા તે સાથે રજોગુણી, તમોગુણી, સત્ત્વગુણી દુખ ભેગવવા છતાં જ્યારે સહેજે મારી કૃપાથી સવગુણી સુખમાંથી આત્મમહાવીરના સુખમાં પ્રવેશ કરે છે, ત્યારે કામગાદિ ઈન્દ્રિય કે મનનાં સુખરૂપ નાનાં તળાવોમાંથી અનંતાનન્દરૂપ આત્મવીરમાં પ્રવેશ કરી અને આત્માનન્દરસ ચાખી ઇન્દ્રિયમને વ્યાપારમાં પશ્ચાત સુખ અનુભવતા. નથી. એવી છેવટની દશારૂપ મારી પ્રાપ્તિને માટે મારા જૈને મારી આરાધના અને સમાધિ-ધ્યાન કરે છે. સ્પર્શેન્દ્રિયના સુખ કરતાં રસેન્દ્રિયનું સુખ વિશેષ છે. તેના કરતાં ધ્રાણેન્દ્રિયનું સુખ, તેના કરતાં નેત્રનું સુખ, તેના કરતાં કર્ણનું સુખ, તેના કરતાં મનનું સુખ અને તેના કરતાં અનંત આત્મસુખ ઉત્તરોત્તર કમે કમે વધે છે અને તે જ્ઞાનીઓને પ્રાપ્ત થાય છે. જડ વિષપભેગેમાં અપેક્ષાએ સુખ છે અને અપેક્ષાએ દુઃખ છે. કેઈને જે વિષય દુઃખરૂપ લાગે છે તે કેઈને સુખરૂપ લાગે છે. કોઈને જે ધર્મરૂપ લાગે છે તે કેઈને તેની દષ્ટિએ અધર્મરૂપ લાગે છે. ધર્મ તે અધર્મ છે અને અધર્મ તે કઈને. તેના અધિકારો ધર્મ છે. નિમિત્તધર્મ અને ઉપાદાનધર્મ સર્વ જૈનધર્મરૂપ છે. દુનિયામાં પ્રવર્તેલા, પ્રવર્તનાર તથા જે પ્રવર્તશે તે બધાં દર્શને અને તેમાંથી જીવે છે જે વિચારો અને આચારમાં પસાર થાય છે તે તે વિચારો અને આચારો અપેક્ષાએ જૈનધર્મના. શ્રતજ્ઞાચારરૂપ છે. તેમાંથી પસાર થઈને અંશે અંશે જૈનો બનેલા ભક્તો મિથ્થાબુદ્ધિનામના ગણસ્થાનકનાં અસંખ્ય વિચારે ભેગવી અને પછી સમ્યકત્વજ્ઞાને મારા કહેલા સર્વ ઉપદેશને અનુભવી સમ્યદષ્ટિજન બને છે. પછી તેઓ અપુનબંધક બને છે. તેઓ સર્વ For Private And Personal Use Only
SR No.008599
Book TitleKalpanik Adhyatma Mahavira Part 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1969
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy