________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૭૩
ઉપનિષદો અને વેદો જ્ઞાનાદિકમાં પરિણમે છે–એ આપ સર્વજ્ઞાનરૂપ વેદાન્તને ઉપદેશ આપીને મને કૃતાર્થ કર્યો છે.” કેનેપનિષદ:
કેન ઋષિઃ “પરબ્રહ્મ, સર્વદેવશિરોમણિ મહાવીર દેવ ! હું આપને નમું છું, સ્તવું છું, આપનું શરણ સ્વીકારું છું.
“આપ ત્યાગાશ્રમ ગ્રહણ કરી વિશ્વનાં તીર્થોનો ઉદ્ધાર કરવાના છે, એમ પૂર્ણ નિશ્ચય થયું છે. આપ સર્વત્ર એક પરમેશ્વર છે. આપની મન, વાણી, કાયાથી એમ ત્રણ પ્રકારની ભક્તિ જે કરે છે તે ત્રણ પ્રકારની કર્મપ્રકૃતિથી અતીત થાય છે. આપે અનેક પ્રકારે મને બોધ આપે છે. તેથી આત્મવીરને પ્રકાશ થયે છે.
રજોગુણું જ્ઞાન, તમે ગુણી જ્ઞાન અને સત્ત્વગુણી જ્ઞાન એમ ત્રણ પ્રકારનું જ્ઞાન આપે પ્રકાસ્યું છે. રજોગુણી ભક્તિ, તમગુણી ભક્તિ અને સર્વગુણ ભક્તિ એમ ત્રણ પ્રકારે આપે ભક્તિ પ્રકાશી છે. રજોગુણું સેવા, તમે ગુણ સેવા અને સત્ત્વગુણું સેવા એમ ત્રણ પ્રકારની સેવા છે. રજોગુણ ઉપાસના, તમે ગુણે ઉપાસના અને સત્ત્વગુણી ઉપાસના એમ ત્રણ પ્રકારની ઉપાસના છે. રજોગુણી આહાર, તમે ગુણ આહાર અને સત્વગુણુ આહાર એમ ત્રણ પ્રકારને આહાર છે. રજોગુણ ઈશ્વર, તમગુણ ઈશ્વર અને સત્ત્વગુણી ઈશ્વર એમ ત્રણ પ્રકારના જે ઈશ્વરે છે તેમને જ ત્રણ પ્રકારના આત્મા જાણવા. રજોગુણું સેવક, તમેગુણું સેવક અને સવગુણું સેવક એમ ત્રણ પ્રકારના સેવકે જાણવા. રજોગુણ ધર્મ, તમેગુણ ધર્મ અને સર્વગુણ ધર્મ એમ ત્રણ પ્રકારને ધર્મ જાણો. રજોગુણું ગુરુ, તમે ગુણ ગુરુ અને સત્ત્વગુણુ ગુરુ એમ ત્રણ પ્રકારના ગુરુ જાણવા. બહિરાભ, અન્તરાત્મા અને પરમાત્મા એમ આત્માના ત્રણ ભેદ જાણવા. તે જ રીતે આઠ પ્રકારે પણ આત્મા જાણો. આમ અનેક ભેગે આપે વિસ્તારથી મને સમજાવ્યા છે.
For Private And Personal Use Only