SearchBrowseAboutContactDonate
Page Preview
Page 509
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૬૮ અધ્યાત્મ મહાવી મહાવીર દેવ અને છે અને આપની જ્યેાતિની સાથે એક ચેાતિ. મેળવે છે. શરીરમાં રહેલા જીવતા અને ખેલતા ચાલતા સાકાર મહા-વીરદેવાને જે સત્તાએ અનુભવે છે તેઓને સવ ક્રિયાઓ કરતાં અક્રિયપણું અને ભાગેામાં અપિરણામીપણું સદા રહે છે અને તેવા મનુષ્યેા ગૃહસ્થાશ્રમ અને ત્યાગાશ્રમમાં રહી સર્વાં જીવાનુ નિય અને સાક્ષીપણું કલ્યાણ કરવા સમક અને છે—એમ આપે ગંગાનદીના અરણ્યવાસી અમારા જેવા ઋષિઓને આધ આપી. જણાવ્યુ છે. ઋષિઓએ તે મેધનાં આરણ્યકસૂત્તે રચ્યાં છે અને તે ગુપ્ત રહેશે. કલિયુગમાં તે અમારા જેવા દેવ અનેલા ઋષિએ દ્વારા મનુધ્યેાની ચેાગ્યતા પ્રમાણે યુગપ્રધાના, ઉપયુગપ્રધાને વગેરે દ્વારા પ્રગટ કરવામાં આવશે. તેથી આય જૈનોની આત્મશક્તિ ખીલશે અને તેને સર્વ વિશ્વ પર પ્રકાશ પડશે. હૃદયાકાશમાં સર્વ સત્ય જ્ઞાનો પ્રગટે છે. ‘મનરૂપ આકાશમાંથી સ જડ પરમાણુ-ભૂતાવાળી સૃષ્ટિની ઉત્પત્તિ અને તેને વિનાશ થાય છે. સર્વ પ્રકારના જ્ઞાની મનુષ્યેા આપને એકસરખી રીતે પ્રાપ્ત કરે છે. પૂર્વકાળમાં જે જ્ઞાને પ્રગટચાં હતાં તે હાલ વમાનમાં પ્રગટે છે અને ભવિષ્યમાં ભક્ત જ્ઞાનીઓના હૃદયમાં પ્રગટશે. પ્રાચીનકાળમાં જે સત્યેા હતાં તે જ સત્યેા વમાનકાળમાં છે અને તે જ સત્યેા ભવિષ્યકાળમાં પ્રકટશે. ભાષાઓ, નિયમે અને ક્રિયાનુષ્ઠાનેાના નિરક ખેાજાથી મનુષ્યેા સ્વત ંત્ર જ્ઞાનને પ્રકાશિત કરી શકતા નથી. તેને સત્ય પ્રકાશ આપ પાડવાના છો. આપ પરબ્રહ્મ પરમાત્માને અગ્નિ, વાયુ, પૃથ્વી, જલ, આકાશાદિ રૂપકાએ સત્તા-વ્યક્તિથી ઋષિએએ સ્તન્યા છે. આપની પૂર્ણ શ્રદ્ધા તથા પ્રેમથી શુદ્ધ થયેલાં ભક્તોનાં હૃદયેામાં ત્રણે કાળનું સત્ય જ્ઞાન પ્રકાશે છે. સૂર્ય —ચન્દ્રાદિ ગ્રહેાનુ જ્ઞાન પેાતાના શુદ્ધ હૃદયમાં પ્રકાશે છે અને ભવિષ્યમાં આપના વીરભક્તોનાં For Private And Personal Use Only
SR No.008599
Book TitleKalpanik Adhyatma Mahavira Part 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1969
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy