SearchBrowseAboutContactDonate
Page Preview
Page 483
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અધ્યાત્મ મહાવીર પૈકી જેને જે અધિકારે ગ્ય હશે તેના વડે આપના શિવપદની અસંખ્ય શ્રેણીઓનાં સોપાને પર આરહીશું. ગૃહસ્થ ધર્મ અને. ત્યાગધર્મની પરિપૂર્ણ મહત્તા જાણી છે. આપ બને ધર્મના પ્રવર્તકપ્રકાશક અને તીર્થસ્થાપક છે. અમે ભારત વગેરે સર્વ દેશમાં આપના જન્મજયંતી મહોત્સવ વડે આપની પ્રેમભક્તિ કરીએ છીએ અને કરીશું. “આપની ગૃહસ્થાવાસની અવસ્થા આદર્શ અને પૂજ્ય છે. આપના પછી યશોદા અને આપની મૂર્તિને મંદિરોમાં તથા અન્ય પવિત્ર વૃક્ષ, નદી, બાગ વગેરે સ્થળમાં સ્થાપીને તેને ભારતના લોકો પૂજશે. આપના ગૃહસ્થ જીવનનાં ચરિતે અનુસરી. ગૃહસ્થ કર્મચાગી બનશે. આપની ત્યાગાવસ્થાની મૂતિએને ગૃહસ્થ. લેકે અને ત્યાગીએ મંદિરમાં સ્થાપી આપની ત્યાગદશાના. ઉપકારેને ગ્રહણ કરશે. ભાવદષ્ટિએ આપની પાછળ ગણધરે, સૂરિઓ વગેરેને આપની પ્રતિમાઓ કે મૂર્તિએ જાણીને ભારતીય જૈન પ્રજાસંઘતેમને આપની આજ્ઞા પ્રમાણે આપની પેઠે માનશે, પૂજશે.. ગૃહસ્થ ધર્મના પાલનથી ત્યાગધર્મની સિદ્ધતા થાય છે. ગ્રહો અને ત્યાગીઓ અને શુદ્ધાત્મવીરપદને પામે છે. આપનું શરણ અમે સર્વસંઘ સ્વીકારીએ છીએ. ઈન્દ્રો, ઈન્દ્રાણીએ, ચાર, નિકાયના દેવ અને દેવીઓ, સર્વ દેશના રાજાઓ, પ્રધાને, ઋષિઓ, બ્રાહ્મણે, ક્ષત્રિ, વૈશ્ય, શુદ્રો વગેરે આપની ત્યાગાવસ્થાની દીક્ષાપ્રસંગે મહોત્સવ કરવા પધારવાના છે. અમને ભારતીય પ્રજાસંઘને તે પ્રસંગે આપનાં દર્શન અને દીક્ષા પ્રસંગને બે સાંભળવાને. અમૂલ્ય અવસર પ્રાપ્ત થશે. તે દિવસને અમે ધન્ય ધન્ય માનીશું.. “દેશ, પ્રજા, સંઘ, રાજ્ય, ધર્મ આદિની ઉન્નતિ કરવામાં અમે અપ્રમત્તપણે જીવન ગાળીશું. આપના પર પૂર્ણ પ્રેમ રાખી. અને આપને સર્વસ્વ અર્પણ કરીને અર્થાત્ આત્મમહાવીરાર્પણ કરીને વર્તવું એ જ અમારા આત્માઓની પૂર્ણતાના પ્રકાશ. For Private And Personal Use Only
SR No.008599
Book TitleKalpanik Adhyatma Mahavira Part 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1969
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy