SearchBrowseAboutContactDonate
Page Preview
Page 459
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૧૮ અધ્યાત્મ મહાવી૨ પણ સિદ્ધાત્મરૂપ થયેલ પતિની યાતિની સાથે પેાતાની જયેતિ મેળવી, એકરૂપ થઈ ને સગ્રહનયસત્તાની અપેક્ષાએ રહે છે. ‘સત્ય પ્રેમીયુગલે. મનુષ્યાવતારમાં પણ યુગલિકાની પેઠે સાથે રહે છે. દિવ્ય સત્ય પ્રેમને સોંધી એવા પતિ પેાતાની પતિવ્રતા સ્ત્રીના મૃત્યુ પછી અન્ય સ્ત્રીની સાથે કાયલગ્નથી જોડાતા નથી. તે ખાકીનું આયુષ્ય જૈનધર્મીની સેવામાં તથા જૈનધર્મના અનંત આધારરૂપ મારી સેવામાં ગાળે છે. ‘જેને પિત્ત નાસી ગયેા હાય અને જે પતિના આત્માની પ્રેમિણી હાય, તે બ્રહ્મચર્ય ધારણ કરે છે. પતિની પાછળ પત્ની સાધ્વી બને છે; અથવા ગૃહ, કુટુંબ, સમાજ, સંઘની સેવાના માર્ગો અંગીકાર કરીને આત્માને વિકાસ કરે છે. મારામાં પૂર્ણ શ્રદ્ધાભક્તિ ધારણ કરીને એ પ્રમાણે વર્તે છે. કલિયુગમાં દેશ; કાલ અને પેાતાની શક્તિ અનુસાર આત્મતુલના કરીને પતિના મૃત્યુ પશ્ચાત્ સ્ત્રીએ મારી ભક્તિપૂર્વક વ્યવહાર કરશે. જેની કામવાસના પ્રખલ હશે અને જે કામને જીતવા અસમર્થાં હશે તેવી યુવાન સ્ત્રીએ પેાતાના પતિના મૃત્યુ પછી કાયલગ્નની ભાગિણી ખની અન્ય પુરુષને પતિ તરીકે સ્વીકારશે અને જે સત્યપ્રેમ, દિવ્યપ્રેમ, પતિપ્રેમ લગ્નવાળી પતિવ્રતા સ્ત્રીએ હશે તે પતિના મરણ પછી ચામડીની પૂજારી ન બનતાં કામવાસનાને જીતી અન્યને પતિ કરશે નહિ. એવી આય સ્ત્રીઓથી કલિયુગમાં આ દેશની પ્રતિષ્ઠા કાયમ રહે છે. કામભાગે। ભાગવવાથી વધે છે અને તેના વેરાગ્યથી નાશ થાય છે. પતિવ્રતા સ્ત્રીએની પેઠે પુરુષા પણ પત્નીવ્રતી બની બ્રહ્મચને ધારણ કરે છે. કલિયુગમાં પણ કેટલાક પત્નીવ્રતને ધારણ કરી ત્યાગી બનશે, અગર ગૃહસ્થાવાસમાં મારી સેવારૂપ જૈનધમ ની પ્રચારણામાં જીવન વ્યતીત કરશે. મારી ત્યાગી અવસ્થા થયા For Private And Personal Use Only
SR No.008599
Book TitleKalpanik Adhyatma Mahavira Part 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1969
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy