SearchBrowseAboutContactDonate
Page Preview
Page 454
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રધાનનું કર્તવ્ય ૪૧૩ ઉદ્ધાર થશે. ત્યારથી મેં આપના “મહાવીર પરબ્રહ્મ” નામમન્ટને જાપ આરંભે છે. બ્રહ્મદેવલેક વગેરે દેવલેકના દેવ અને દેવીએ આપના નામને ક્ષણે ક્ષણે જાપ જપ્યા કરે છે. ચોસઠ ઈન્દ્રો તથા ઈન્દ્રાણીઓ તથા બાર દેવક ઉપરાંત નવ રૈવેયક દેવે તથા પાંચ અનુત્તર વિમાનના દેવ તથા વ્યંતર, ભુવનપતિ અને જયેતિષી દેવ અને દેવીઓ આપના નામમન્ત્રનો જાપ જપ્યા કરે છે. આપના. ઉપદેશની અનહદ ઇવનિની મધુરી વાંસળી શ્રવણ કરતાં સર્વ મનેવૃત્તિઓરૂપ ગાયેનું આપના તરફ આકર્ષણ થાય છે. તેથી આપ. મહાકૃષ્ણ છે. પાંચ પાંડ અને કૃષ્ણ, બળદેવ, ઉદ્ધવ, શુકદેવ, વ્યાસ વગેરેએ શ્રી અરિષ્ટનેમિ પ્રભુ પાસેથી આ૫ પરમાત્માનું અપૂર્વ માહાસ્ય સાંભળ્યું હતું. દ્વારિકામાં શ્રી નેમિપ્રભુએ જૈનધર્મનું સ્વરૂપ કૃષ્ણને સમજાવ્યું હતું. ત્યારે કહ્યું હતું કે ચોવીસમા મહેશ્વર તીર્થકર શ્રી મહાવીર પ્રભુ થશે. તેઓના નામરૂપની ભક્તિથી વિશ્વના સર્વ મનુષ્યનો ઉદ્ધાર થશે. કૃષ્ણને જે ઉપદેશ આ તે કૃષ્ણગીતાના નામથી પાંચમા આરામાં અઢી હજાર વર્ષ ગયા પછી મારા તરફથી આપના ભક્તો દ્વારા પ્રસિદ્ધ થશે. આપનું “તત્વમસિ” પ્રજ્ઞાનબ્રહ્મ, આનંદબ્રા વગેરે અનેક શબ્દો મારફત ધ્યાન ધરું છું. રજોગુણ, તમે ગુણ અને સત્ત્વગુણની પેલી પાર રહેલું અનંતપરમસ્વરૂપ આપનું છે. તે તે આપ પ્રકાશ કરશે ત્યારે કરે મનુષ્ય આત્મવીર જ્ઞાની બનશે. આપને આશ્રય મેં ગ્રહણ કર્યો છે. આપના ભક્ત સૂરિ, વાચક આદિ. ભક્તોના હૃદયમાં પ્રવેશીને કલિયુગમાં આપના જૈનધર્મનાં ગુપ્ત રહસ્યને સમજાવીશ અને તેઓ દ્વારા એ પ્રગટ કરાવીશ. આપનાં ભક્તિ અને ઉપાસનામાં જે લયલીન બનશે, તેઓ તેમની પરા-પશ્થતીમાં ગુપ્ત પ્રણાલિકાઓ–પરંપરાએ વહેતાં આપનાં તને પ્રકાશ કરીશ અને આપના નામનું ભજન કરનારાઓને For Private And Personal Use Only
SR No.008599
Book TitleKalpanik Adhyatma Mahavira Part 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1969
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy