________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર્મયુદ્ધનું સ્વરૂપ અને રાજધમ
૩૬પ ભક્તોએ ગૃહસ્થાવાસમાં આપે આપેલા ઉપદેશ પ્રમાણે વર્તવું, એમ સર્વત્ર જાહેર કરીશ. અને આપનું જે ત્યાગી જીવન છે તે પ્રમાણે આત્માનુભવ કરે એમાં ચાર પ્રકારના ત્યાગીઓમાંથી છેલા જિનકલ્પી સાધુઓને અધિકાર છે. સ્થવિરકલ્પી સાધુઓને દેશકાલાનુસાર પરમાથી જીવન ગાળવાને અધિકાર છે. તેમનાથી નીચે બે પ્રકારના ત્યાગીએ છે. તેઓ ગૃહસ્થની પેઠે બ્રહ્મચર્ય. ચુત થઈ ચતુર્વિધ સંઘ, દેશ, સમાજસેવામાં જીવન ગાળે છે. તેઓ આપની આજ્ઞા પ્રમાણે નીતિમય જીવન ગાળી સર્વ લોકોના શ્રેય માટે દેશકાલાનુસાર પ્રવૃત્તિ કરી શકે છે. હું આપની આજ્ઞા. પ્રમાણે ગૃહસ્થ લેકેની સેવારૂપ રાજ્યકર્મો કરીશ. આપનું હૃદયમાં સ્મરણ રાખીને તથા આપના નામનો જાપ કરીને આપના. શુદ્ધાત્મ મહાવીર: સ્વરૂપને નિત્યાનંદ અનુભવીશ.”
For Private And Personal Use Only