________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૮
અધ્યાત્મ મહાવીર
સંવરરૂપે પરિણુમાવે છે. મારા પર જેને પૂર્ણ રાગ છે, દઢ રાગ છે, તે બહારથી ગમે તે હોય છતાં નિશ્ચયથી અન્તરાત્મા છે.
બંધુ નંદિવર્ધન! સંસારની આ પ્રમાણે સ્થિતિ છે. અનાદિઅનંત જગતમાં હું અનાદિ-અનંત છું. આત્મજ્ઞાનથી આભા જ સ્વર્ગ અને મુક્તિરૂપ બને છે. આત્મા જ પાપની અપેક્ષાએ તિર્યંચ અને નરક છે. તે જ પુણ્ય-જ્ઞાનની અપેક્ષાએ મનુષ્યલક તથા સ્વર્ગલેક અને શુદ્ધાત્મભાવની અપેક્ષાએ મુક્તિરૂપ છે. આત્મા જ કર્મના વેગે ચોરાસી લાખ જીવનિરૂપ વિશ્વ બને છે અને તેને નાશ કરીને તે જ પરમાત્મા બને છે. અનંત શક્તિમય આત્મરૂપ મહાવીરને જેણે અનુભવ કર્યો છે તેને જાગ્રત દેવ મહાવીરરૂપ જાણો. તે જ વિશ્વમાં તીર્થરૂપ છે. તે આત્મા સ્વયં નિલેપ રહી અનેક જીવને ઉદ્ધાર કરવા સમર્થ બને છે.
“અજ્ઞાનીઓને જ કહેવામાં આવે છે અને મારા વડે બોધ પામેલા જ્ઞાનીઓને આત્મા, અન્તરાત્મા, જૈન અર્થાત બ્રાહ્મણ વગેરે કહેવામાં આવે છે.
નંદિવર્ધન ! મારા પર પૂર્ણ વિશ્વાસ રાખી પ્રેમરૂપ ભક્તિથી સંસારને તરી જાઓ. સંસારમાં રહ્યા છતાં, દેહ છતાં વિદેહભાવે રહી રાયકાને કરે, સર્વ પ્રકારના શેકથી રહિત આત્માને દેખે અને દશ્ય પદાર્થોને શુભાશુભ પરિણામ વિના વ્યવહાર કરે.
For Private And Personal Use Only