________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મરણોત્તર જીવન
૩૪પ
આત્માઓ જ્યારે મનુષ્યાવતારનું જીણું વસ્ત્ર ત્યજી અન્ય દિવ્ય શરીર ગ્રહે છે ત્યારે શેક થતું નથી. માટે હે નંદિવર્ધન બધે! આપણું માતાપિતાએ દેહરૂપી વસ્ત્રને ત્યાગ કર્યો છે અને દિવ્ય વસ્ત્ર ધારણ કર્યા છે, પરંતુ આત્મા તરીકે તે મને અમર દેખાય છે. તેઓ દેવલોકમાં આનંદમાં વિચરે છે, એમ હું જ્ઞાનદષ્ટિથી સાક્ષાત, દેખું છું. તેઓ આપણું સ્મરણ કરે છે.
“આત્માઓને જે આત્માઓ મળી શકે છે તે જ્ઞાની છે. શુદ્ધ પ્રેમીઓ પોતાના સનેહી આત્માઓને ગમે તેવા શરીરના વેશમાં પણ ઓળખી શકે છે. તેઓ મારા સ્વર્ગ અર્થાત્ વૈકુંઠમાં આનંદથી વિચરે છે. તેઓ દિવ્યદષ્ટિથી આપણ સર્વને દેખે છે. હે નંદિવર્ધન ! તમે શેક કરો છો તે તેમને રુચતું નથી. માટે આનંદમાં રહો. જ્ઞાનીઓ અવતારના ગ્રહણ કે ત્યાગમાં હર્ષ કે શેક કરતા નથી. પુષ્પગે દેવ અને મનુષ્યગતિના અવતારને આત્મા મુખ્યપણે ગ્રહણ કરે છે અને મુખ્યત્વે પાપના ગે નરક કે તિર્યંચગતિમાં આત્મા અનેક અવતાર લે છે. તેમાં સર્વ કાંઈ મારી આજ્ઞાના નિયમાનુસાર બને છે. તેમાં હર્ષ કે શેક કરવાની જરૂર નથી. માટે હે નંદિવર્ધન ! તમે શેક છોડો અને માતાપિતાને સ્વર્ગ–વૈકુંઠમાં રહેલાં દે. તેઓ જ્ઞાની છે, માટે જ્ઞાનરૂપ અશ્રુતધામમાં પૂર્ણાનન્દ ભગવે છે અને પુણ્યપ્રકૃતિથી સ્વર્ગસ્થાનમાં દિવ્ય દષ્ટિ ધારણ કરી વિચરે છે.
“જ્ઞાનીઓ આત્માને દેખે છે, જ્યારે અજ્ઞાનીઓ ફક્ત દશ્ય જડ શરીરને જ દેખે છે. તેઓને પ્રેમ શરીરને લક્ષીને પ્રગટે છે. તે મૂળ આત્માઓને ન અનુભવી શકવાથી અન્ય શરીરને -ગ્રહણ કરતા અને તેમાં રહેલા આત્માને ઓળખી શક્તા નથી. તેથી તેઓ સાચા આત્મપ્રેમી બની શકતા નથી. તે તે જડ દશ્ય વસ્તુઓના રાગી બને છે. તે મેહને કરે છે. પરિણામે તેઓ ૨ડે છે, દુઃખ પામે છે.
For Private And Personal Use Only