________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૩
માણેત્તર જીવન
દેવભવનાં શરીર પણ સ્થળ છે, છતાં તે દિવ્ય શરીર જાણવાં. દ્રવ્ય મનને કામમાં અને ભાવ મનની પ્રકૃતિરૂપ રાગ, દ્વેષ અને વિકલ્પને મહાકારણ લિંગશરીરમાં સમાવેશ થાય છે. આહારાદિકના પાચનની ક્રિયાઓ વગેરેનું કરનાર તથા અનેક લબ્ધિઓનાં દ્રવ્યબીજકેનું સ્થાન તૈજસ શરીર છે. તૈજસ-કાશ્મણ, લિંગ–મહાલિંગ શરીરને સૂક્ષ્મ શરીરમાં સમાવેશ થાય છે. વૈક્રિય, આહારક અને ઔદારિક શરીરને સ્કૂલ દેહમાં સમાવેશ થાય છે. પુદ્ગલ દ્રવ્ય, કે જે જડપ્રકૃતિરૂપ પૃથ્વી, જલ, વાયુ, અગ્નિ વગેરેના પર્યા છે, તેના પર્યાનું સ્થળ તથા સૂક્ષ્મ શરીર બંધાય છે અને તેને ત્યાગ કરીને નવાં કર્માનુસારે આત્મા પુનઃ અન્ય શરીર ગ્રહણ કરે છે.
“જડ-ચેતનાત્મક સર્વ સૃષ્ટિ સૂક્ષ્મ અને સ્થૂળરૂપ છે. તેની મૂળ નિ પુદ્ગલ દ્રવ્યરૂપ જડ પ્રકૃતિ છે. તેના પર્યાને શરીરાદિરૂપે કર્તા-હર્તા આત્મા છે. શરીરાદિરૂપ જડ પ્રકૃતિના પર્યાયે ત્રણ કાળમાં અનેક રૂપથી ફર્યા કરે છે, પરંતુ જડ પુદ્ગલ દ્રવ્ય તરીકે કાયમ રહે છે. આત્માઓ સદા અમર છે. તેઓનો ત્રણે કાળમાં બ્રહ્મદ્રવ્યરૂપથી નાશ થતો નથી. શરીરના બદલાવાથી આત્માઓનો નાશ થતો નથી. અનાદિકાળથી આત્માઓ કર્મ પ્રકૃતિના સંબંધે શરીરને લીધા-મૂક્યા કરે છે. એક નાટકિયે હજારે વેશ રહે છે અને છોડે છે, પણ પિતાના મૂળરૂપે કાયમ રહે છે. તે પ્રમાણે આત્માઓ અનાદિકાળથી અનેક સૂક્ષ્મસ્થૂળ દેહને બદલ્યા કરે છે, પરંતુ આત્મરૂપે તે જેવા છે તેવા ને તેવા જ રહે છે. પુણ્ય-પાપના ભેગને માટે ચાર ગતિનાં સ્થૂળ શરીરને આત્મા ગ્રહે છે અને મૂકે છે. મ્યાનરૂપ કેષમાં જેમ તલવાર રહે છે અને એક કેષને છોડી બીજા કેષને ગ્રહે છે, તેમ આત્મા કરેલાં કર્માનસારે દારિક, વૈક્રિય, આહારક, તેજસ અને કાર્મણ રૂપ પાંચ શરીરના પાંચ કેષમાં રહે છે અને જૂના છોડી નવા ગ્રહણ કરે છે.
For Private And Personal Use Only