________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧. મરણોત્તર જીવન
નંદિવર્ધનઃ “પ્રિય બધુ! પરબ્રહ્મા મહાવીર ! મને માતા અને પિતાના મરણથી શેક થાય છે. મને સંસારમાં સર્વત્ર શૂન્યતા દેખાય છે. મૃત્યુ પશ્ચાત્ આત્માની શી સ્થિતિ થાય છે તે જણાવશે.”
પ્રભુ મહાવીરઃ “ઠ બધુ નંદિવર્ધન! માતાજી અને પિતાજીના દેહ અને પ્રાણના મૃત્યુથી શેક કરે ન જોઈએ. કર્મ વિપાકથી શરીરે બંધાય છે અને નષ્ટ થાય છે. કૃતકર્માનુસારે આત્માઓ શરીર રહે છે અને ત્યજે છે. જેવા કેવા કર્મ ગ્રહણ કર્યા હોય છે તેવા તેવા પ્રકારનાં શરીર આત્મા રહે છે અને મૂકે છે. પુણ્યથી સુખ વેદાય છે અને પાપથી દુઃખ વેદાય છે. પુણ્યથી શુભ સંયેગો મળે છે અને પાપથી અશુભ સંગો મળે છે.
એક ઈન્દ્રિયવાળા જીથી લઈને મનુષ્યો અને ચાર નિકાયના દેવે વગેરે સર્વે સ્વકૃત કર્માનુસારે વસ્ત્રની પેઠે શરીર ગ્રહે છે અને મૂકે છે. કાશ્મણ શરીર અને તૈજસ શરીર સહિત આત્મા એક દેહ તજીને અન્ય ગતિમાં જાય છે અને ત્યાં સ્થૂળ શરીરના બીજરૂપ કામણ અને તૈજસ શરીરના બળે પાછું પુણ્ય-પાપાનુસારે તરતમાગે નવીન શરીરની રચના થાય છે, અને તેમાં રહીને શરીરસૃષ્ટિને કર્તા તથા હર્તા આત્મા કર્મ રૂપ પ્રકૃતિ સાથે રહી સુખદુઃખનો અનુભવ કરે છે. કાર્પણું શરીર એ સૂમ શરીર છે. કામણ શરીરમાં ભાવ રાગ-દ્વેષરૂપ માત્રાવાળું લિંગ શરીર તે જ મહાકારણ શરીર છે એમ જાણવું.
For Private And Personal Use Only